ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહા રાવ અને ડો. સ્વામિનાથનને ભારત રત્ન

નવી દિલ્હીઃ ભૂતપૂર્વ વડા પ્રધાન ચૌધરી ચરણ સિંહ, પીવી નરસિંહા રાવ અને મશહૂર વૈજ્ઞાનિક એમ. એસ. સ્વામિનાથનને દેશના સર્વોચ્ચ નાગરિક સન્માન ભારત રત્ન (મરણોપરાંત)થી સન્માનિત કરવામાં આવશે, એમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ X પર પોસ્ટ કરીને આ માહિતી શેર કરી હતી. તેમણે કહ્યું હતું કે ચૌધરી ચરણ સિંહે ખેડૂતોના અધિકારો અને તેમના કલ્યાણ માટે સંપૂર્ણ જીવન સમર્પિત કરી દીધું હતું.

તેમણે એક અન્ય પોસ્ટમાં કહ્યું હતું કે ભૂતપૂર્વ વડા પ્રધાન પીવી નરસિંહા રાવને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવશે. તેમના દૂરદર્શી નેતૃત્વમાં ભારતને આર્થિક રીતે સક્ષમ બનાવવા માટે, દેશને સમૃદ્ધિ અને વિકાસ માટે એક નક્કર પાયો રાખવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી.

રાષ્ટ્રીય લોકદળના અધ્યક્ષ જયંત સિંહ ચૌધરીએ દાદા ચૌધરી ચરણ સિંહને ભારત રત્ન આપવામાં આવતા ખુશી જાહેર કરી હતી. તેમણે આ ખુશી વડા પ્રધાન મોદીની X પર પોસ્ટને રિટ્વીટ પણ કરી હતી.

વડા પ્રધાને એમએસ સ્વામિનાથનને ભારત રત્ન આપવાની ઘોષણા કરતાં કહ્યું હતું કે કેન્દ્ર સરકાર કૃષિ અને ખેડૂતોના કલ્યાણમાં દેશમાં નોંધપાત્ર યોગદાન માટે ડોક્ટરે એમએસ સ્વામિનાથનજીને ભારત રત્નથી સન્માનિત કરી રહી છે. તેમણે પડકારજનક સમયમાં ભારતને કૃષિમાં આત્મનિર્ભરતા હાંસલ કરવામાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે અને ભારતીય કૃષિને આધુનિક બનાવવાની દિશામાં ઉત્કૃષ્ટ પ્રયાસ કર્યા હતા.

આપણે તેમને એક અન્વેષક અને સંરક્ષક તરીકે કેટલાય વિદ્યાર્થીની વચ્ચે શીખવા અને અનુસંધાનને પ્રોત્સાહિત કરવાવાળા તેમના અમૂલ્ય કામને પણ ઓળખીએ છીએ. તેમના દૂરદર્શી નેતૃત્વએ ના માત્ર ભારતીય કૃષિને બદલી નાખી છે, બલકે દેશની ખાદ્ય સુરક્ષા અને સમૃદ્ધિને સુનિશ્ચિત કરી છે. તેઓ એવી વ્યક્તિ હતી, જેમને હું અંગત રીતે જાણતો હતો અને હું હંમેશાં તેમની અંતરદ્રષ્ટિ અને ઇનપુટને મહત્ત્વ આપતો હતો.