નવરાત્રી બાદ ઓટો સેક્ટરમાં તેજી, દિવાળી વેચાણ માટે ઉત્સાહ

અમદાવાદ: તહેવારોની સિઝન શરૂ થતાન સાથે મંદીના માહોલ રહેલો ઓટો સેક્ટરમાં ફરી નવી હૂંફ આવી છે. આ વર્ષે ગણપતિ ઉત્સવ દરમિયાન પણ વેચાણ સારૂં ન રહેતા ઓટોમેકર્સ અને ડીલરોમાં ચિંતા વધી હતી. પરંતુ નવરાત્રી દરમિયાન વાહનોનું નોંધપાત્ર વેચાણ દિવાળી માટે ઉત્સાહ જગાવી રહ્યો છે. શ્રાદ્ધ સમાપ્ત થવાની અને નવરાત્રી શરૂ થવાની સાથે કારની ડીલિવરીઓ પણ વધી રહી છે અને સિઝનલ ડિમાન્ડમાં પણ નોંધપાત્ર વધારો થયો છે.

સૂત્રોના આંકડા પ્રમાણે ઓક્ટોબરના પ્રથમ સપ્તાહમાં કારના શોરૂમમાં ગ્રાહકોની સંખ્યામાં ત્રણ ગણો વધારો જોવા મળ્યો છે. માત્ર ઈન્કવાયરી જ નહિ પરંતુ વાસ્તવિક વેચાણમાં પણ લગભગ ૩૦ ટકાનો વધારો થયો છે. મધ્ય ભારત, રાજસ્થાન, દિલ્હી જેવા વિસ્તારોમાં કારના વેચાણમાં સારી વૃદ્ધિ જોવા મળી રહી છે પરંતુ ઉત્તર પ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં વેચાણમાં વૃદ્ધિ હજુ મંદ છે. કાર કંપનીઓના વાર્ષિક વેચાણમાં તહેવારોની સિઝનનો હિસ્સો 30-40 ટકા જેટલો હોય છે. તેથી જ આ વર્ષે ઉદ્યોગ ઓફર્સ અને ડિસ્કાઉન્ટ દ્વારા ઇન્વેન્ટરી બેકલોગને ઘટાડવા કરવા માંગે છે. ઉલ્લેખનીય છે કે હિંદુ માન્યતા અનુસાર નવરાત્રી નવા કાર્યો માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. આવી સ્થિતિમાં લોકોએ સપ્ટેમ્બર મહિનાથી જ વાહનોનું બુકિંગ શરૂ કરી દે છે. સાથે જ નવરાત્રી જ નહીં, આ વખતે ધનતેરસ, દિવાળી સહિત સમગ્ર તહેવારોની સિઝનમાં સારો ધંધો થાય તેવી અપેક્ષા છે.