ચંદ્રયાન-3ને સૂર્યોદયનો ઇંતજાર, વિક્રમ સલામત જગ્યાની શોધમાં

નવી દિલ્હીઃ ચંદ્રયાન-3 મિશન હવે સફળતાની નજીક છે. લેન્ડર વિક્રમ સુરક્ષિત જગ્યાની શોધ કરી રહ્યું છે, જેથી 23 ઓગસ્ટે સોફ્ટ લેન્ડિંગ કરી શકાય. ઇસરોએ જણાવ્યું હતું કે 23 ઓગસ્ટે કોઈ કારણસર સોફ્ટ લેન્ડિંગ નહીં થઈ શકે તો 27 ઓગસ્ટે ચંદ્રયાન ચંદ્રમા પર ઊતરશે.  

મિશન મુન ચંદ્રયાન-3ને લઈને લોકોમાં જેટલી ઉત્સુકતા છે, એટલી જ એ વાતે છે કે ચંદ્ર પર બધું કેવું હશે? શું ત્યાં પણ ધરતીની જેમ માટી, હવા અને પાણી હશે? એક સવાલ એ પણ છે કે શું ચંદ્રમા પર દિવસ-રાત થતા હશે- આનો જવાબ હા છે, પણ ત્યાં એક દિવસ 24 કલાકનો નથી હોતો.

ચંદ્રમા પર પૃથ્વીની તુલનામાં એક દિવસ 29 દિવસ મોટો હોય છે. અહીં એક દિવસ ધરતીના 29 દિવસો એટલે કે 708.7 કલાક મોટો હોય છે. પૃથ્વીના 14 દિવસ બરાબરનો દિવસનો સમય હોય છે અને 14 દિવસની ડે-નાઇટ હોય છે. આવામાં પહેલા એક ભાગ પૃથ્વી તરફ રહે છે. આ પ્રકારે બીજો ભાગ પણ ઘણા સમય સુધી પૃથ્વીની સામે રહે છે, જ્યારે ચંદ્રમાનો એક ભાગ એવો પણ છે જે ક્યારેય પૃથ્વીનો સામનો નથી કરતો અને અહીં થોડું ગાઢ અંધારું હોય છે.

આ સિવાય ચંદ્રમા પર દિવસ-રાતના તાપમાનમાં ઘણો વધારે ફરક હોય છે. રાતના સમયે ચંદ્રમા પર તાપમાન બહુ ઓછું થઈ જાય છે અને દિવસના સમયે એ બહુ વધી જાય છે. એ સાથે અલગ-અલગ ભાગોમાં પર પરિસ્થિતિ અલગ-અલગ હોય છે. એનો દક્ષિણ ધ્રુવ વધુ ઠંડો હોય છે કે પૃથ્વીવાસીઓ માટે અહીં જીવિત રહેવું મુશ્કેલ છે.

23 ઓગસ્ટે જ્યારે ચંદ્રયાન-3 ચંદ્રમા પર ઊતરશે તો એને લઈને લેન્ડર મોડ્યુલના લેન્ડર વિક્રમ અને રોવર પ્રજ્ઞાન જુદા થશે. એનો અર્થ એ થયો કે જ્યારે વિક્રમ ચંદ્રની સપાટી પર ઊતરશે અને એમાંથી રોવર પ્રજ્ઞાન નીચે ઊતરશે અને અભ્યાસ શરૂ કરશે.