કોરોનાના 9923 નવા કેસ, 17નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના કેસોમાં 22 ટકાનો ઘટાડો નોંધાયો છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 9923 નવા કેસ નોંધાયા છે,  છેલ્લા 24 કલાકમાં 17 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધીમાં 196.32થી કરોડથી વધુ રસીના ડોઝ આપવામાં આવી ચૂક્યા છે. દેશમાં કુલ સક્રિય કેસોની સંખ્યા 80,000ની નીચે છે. દેશમાં અત્યાર સુધીમાં 4,33,19,396 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે.

દેશમાં અત્યાર સુધી 5,24,890 લોકોનાં મોત થયાં છે. દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 4,27,15,193 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7293 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 79,313એ પહોંચી છે. દેશમાં હાલ રિકવરી રેટ વધીને 98.61 ટકાએ છે, જ્યારે મૃત્યુદર ઘટીને 1.21 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 3,88,641 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 85.85 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં દૈનિક પોઝિટિવિટી રેટ 4.32 ટકા છે. સાપ્તાહિક સંક્રમણ દર 2.62 ટકા છે.

દેશમાં 196.32 લાખ રસીના ડોઝ અપાયા

દેશમાં અત્યાર સુધીમાં 1,96,32,43,003 લાખ કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 13,00,024 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.