કોરોનાના 8954 નવા કેસ, 267નાં મોત

નવી દિલ્હીઃ દક્ષિણ આફ્રિકામાં કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોન મળ્યા પછી દેશમાં પણ સતર્કતા વર્તવાનું શરૂ થયું છે. દેશમાં કોરોનાની તપાસ અને રસીકરણનું કામ ઝડપથી થઈ રહ્યું છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 8954 નવા કેસ સામે આવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 267 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,45,96,776 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,69,247 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,40,28,506 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,207 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 99,023એ પહોંચી છે. રિકવરી રેટ વધીને 98.36 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.36 ટકા થયો છે.

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 11,08,467 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 63.22 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 124.10 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,24,10,86,850 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 80,98,716 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.