કોરોનાના 7447 નવા કેસ, 391નાં મોત

નવી દિલ્હીઃ દેશનાં વિવિધ રાજ્યોમાં ગુરુવારે કોરોના વાઇરસના નવા વેરિયેન્ટ ઓમિક્રોનના કુલ 14 નવા કેસો નોંધાયા છે. દેશમાં કુલ ઓમિક્રોનના કેસોની સંખ્યા 87એ પહોંચી છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 7447 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 6.6 ટકા ઓછા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 391 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,47,26,049 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,76,869 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,41,62,765 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 7886 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 86,415એ પહોંચી છે, જે 571 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.38 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020 પછી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.37 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 12,59,932 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 60.12 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દેશમાં 135.99 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,35,99,96,267 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 70,46,805 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.