કોરોનાના 72,049 નવા કેસ, 986નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં રેકોર્ડ વધારો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ મામલા 67 લાખને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 72,049 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 986 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 67,57,131 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,04,555 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 57,44,693 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 75,787 દર્દીઓ ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 9,07,883 પહોંચી છે. રિકવરી રેટ વધીને 85.01 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.54 ટકા થયો છે.

સ્કિન પર નવ કલાક રહે કોરોના વાઇરસ

નિષ્ણાતોનો દાવો છે કે ઇન્ફ્લુએન્ઝા જેવા ઘાતક વાઇરસ પણ માણસની ત્વચા પર બે કલાકથી વધારે ટકી શકતા નથી, પરંતુ કોરોના વાઇરસ નવ કલાકથી પણ વધારે સમય સુધી સ્કિન પર રહી શકે છે. સંશોધકોએ જણાવ્યું હતું કે 80 ટકા આલ્કોહોલવાળું સેનિટાઇઝર ફક્ત 15 સેકન્ડ કોઈ પણ પ્રકારના વાઇરસને સ્કિનથી ગાયબ કરી શકે છે. યુએસ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન પણ આલ્કોહોલવાળા સેનિટાઇઝરથી હાથોને ધોવાની સલાહ આપે છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.