કોરોનાના 13,993ના નવા કેસ, 101નાં મોત 

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના 11,000થી સતત વધુ નવા કેસ નોંધાયા છે. જોકે દેશમાં નવા કેસો ઘણા સમયથી 20,000થી નીચે આવી રહ્યા છે. એ સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.09 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 13,993 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 101 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,09,77,387 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,56,212 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,06,78,048  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 10,307 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,43,127 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.26 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 1.07 કરોડ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,07,15,204 લાખ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 5,27,197 કોરોના રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.