કોરોનાના 11,831ના નવા કેસ, 84નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરાના વાઇરસના કેસમાં નિરંતર ઘટાડો થઈ રહ્યો છે. નવા કેસોની સાથે મૃતકોની સંખ્યામાં પણ ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં કોવિડ-19ના કુલ કેસોની સંખ્યા 1.08 કરોડને પાર પહોંચી છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,831 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 84 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 1,08,38,194 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 1,55,080 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,05,34,505  લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 11,904 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,55,080 પહોંચી છે. રિકવરી રેટ વધીને 97.13 ટકાએ પહોંચ્યો છે. મૃત્યુદર ઘટીને 1.43 ટકા થયો છે.

 દેશમાં 58 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 58,12,362 લાખની આસપાસ લોકોને કોરોનાની રસી  આપવામાં આવી ચૂકી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.