કોરોનાના 11,451 નવા કેસઃ દિલ્હીમાં 30 કન્ટેનમેન્ટ ઝોન

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના નવા કેસોમાં સાધારણ વધારો થયો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 11,451 નવા કેસ સામે આવ્યા છે. જે ગઈ કાલની તુલનાએ 5.5 ટકા વધુ છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 266 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,43,66,987 લાખ લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 4,61,057 લોકોનાં મોત થયાં છે.

દેશમાં અત્યાર સુધી આ ખતરનાક બીમારીને 3,37,63,104 લોકો માત આપી ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં 13,204 લોકો કોરોના સંક્રમણથી ઠીક થયા છે. દેશમાં કુલ સક્રિય લોકોની સંખ્યા 1,42,826એ પહોંચી છે, જે છેલ્લા 262 દિવસોમાં સૌથી ઓછા છે. રિકવરી રેટ વધીને 98.24 ટકાએ પહોંચ્યો છે, જે માર્ચ, 2020થી સૌથી વધુ છે. મૃત્યુદર ઘટીને 1.34 ટકા થયો છે.કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા ગઈ કાલે 8,70,058 લોકોનાં સેમ્પલનાં ટેસ્ટિંગ થયાં છે. દેશમાં અત્યાર સુધી 61.10 કરોડ કોરોનાના ટેસ્ટ કરવામાં આવ્યા છે.

દિલ્હીમાં એક સપ્તાહમાં 30 કન્ટેનમેન્ટ ઝોન

દિલ્હીમાં કોરોના કેસો ફરી એક વખત વધવા માંડ્યા છે.  નવા કેસો વધવાની સાથે સક્રિય કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઈ રહ્યો છે. વળી, દિલ્હીમાં છેલ્લા એક સપ્તાહમાં 30 કન્ટેનમેન્ટ ઝોન વધારવામાં આવ્યા છે. દિલ્હીમાં કોરોનાના સક્રિય દર્દીઓની સંખ્યા વધીને 365 થઈ છે. રવિવારે કોરોના 47 નવા કેસો નોંધાયા છે.

તામિલનાડુમાં 850 નવા કેસ

તામિલનાડુમાં રવિવારે કોરોના સંક્રમણના 850 નવા કેસો નોંધાયા છે.

દેશમાં 108.47 લાખ લોકોનું રસીકરણ

દેશમાં અત્યાર સુધીમાં 1,08,47,23,042 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી ચૂકી છે. ગઈ કાલે 23,84,096 લોકોને રસી આપવામાં આવી હતી.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.