લોકસંસ્કૃતિ વિશે પરિસંવાદ: મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું અભિવાદન

મુંબઈઃ સાંસ્કૃતિક કાર્ય સંચનાલય, મહારાષ્ટ્ર સરકાર અને લોકાયન તરફથી  રામભાઉ મ્હાલગી સંકુલ ખાતે લોકસંસ્કૃતિ વિશે ત્રણ-દિવસીય પરિસંવાદ યોજવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમીના કાર્યાધ્યક્ષ સ્નેહલ મુઝુમદારનું અભિવાદન કરવામાં આવ્યું હતું અને લોકાયનના અધ્યક્ષ ડૉ. મોનિકા ઠક્કર સંપાદિત ‘લોકસંસ્કૃતિમાં કુપ્રથા’ પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.

 

જાણીતા નાટ્યવિદ્ ડૉ. રવિ ચતુર્વેદી, ડૉ. જયંત કુલકર્ણી, ઇન્ડિયન કાઉન્સિલ ઓફ કલ્ચરલ રિલેશન્સના અનિરુદ્ધ સિંહ, અભિનેતા વિજય ગોખલે સહિત અનેક મહાનુભાવોએ આ કાર્યક્રમમાં હાજરી આપી હતી.