‘ઝરૂખો’માં ‘જૈન સાહિત્ય’ પર પરિસંવાદ

મુંબઈઃ સાહિત્યિક સાંજ તરીકે ઓળખાતા બોરીવલીના ‘ઝરૂખો’માં ૩ જૂન, શનિવારે સાંજે ૭.૨૦ વાગ્યે ‘ઓછું પ્રસાર પામેલું જૈન સાહિત્ય’ એ વિષય પર જૈન સાહિત્યના વિદ્વાન, કવયિત્રી, વિવેચક ડૉ. સેજલ શાહ તથા મુંબઈ યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના અધ્યક્ષ તથા અસોશિયેટ પ્રોફેસર ડૉ. અભય દોશી વક્તવ્ય આપશે. આ બંને વક્તાઓ જૈન સાહિત્યના અભ્યાસી છે અને ‘બારમી સદીથી આજ સુધી જૈન સાહિત્ય કેમ મુખ્ય સાહિત્યધારામાં ન જોડાયું?’ એ વિશે પણ તેઓ ચર્ચા કરશે.

ડૉ.સેજલ શાહ (ડાબે) અને ડૉ.અભય દોશી (જમણે)

વક્તવ્યના અંતે શ્રોતાઓ વક્તા સાથે પ્રશ્નોત્તરી પણ કરી શકશે.

સાઈબાબા મંદિર, બીજે માળે, સાઈબાબા નગર, બોરીવલી (પશ્ચિમ) સરનામે યોજાયેલા આ કાર્યક્રમનું સંચાલન સંજય પંડ્યા કરશે. આ જાહેર કાર્યક્રમમાં સર્વને હાજરી આપવા સંસ્થા સાઈલીલા વેલ્ફેર ટ્રસ્ટ નિમંત્રણ પાઠવે છે.