રૂ.2000ની 93% નોટ પાછી આવી ગઈ છેઃ આરબીઆઈ

મુંબઈઃ ભારતીય રિઝર્વ બેન્કે કહ્યું છે કે રૂ. 2000ના મૂલ્યની ચલણી નોટોનો મબલખ હિસ્સો બેન્કો પાસે પરત આવી ગયો છે.

દેશમાં આ સૌથી ઊંચા મૂલ્યવાળી નોટોને ચલણમાંથી નિવૃત્ત કરી દેવામાં આવશે એવી ગઈ 19 મેએ જાહેરાત કરવામાં આવી હતી. એ મહિનાથી લઈને ગઈ 31 ઓગસ્ટ સુધીમાં રૂ.2000ની રૂ. 3.32 લાખ કરોડની કિંમતની નોટ્સ બેન્કો પાસે પાછી આવી ગઈ છે, જે કુલ 3.56 લાખ કરોડની નોટ્સનો 93 ટકા હિસ્સો દર્શાવે છે.