પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રયાગરાજમાં ચાલી રહેલા મહાકુંભને લઈને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર નિશાન સાધ્યું છે. તાજેતરની ભાગદોડની ઘટનાઓનો ઉલ્લેખ કરીને, મમતાએ મહાકુંભને ‘મૃત્યુંકુંભ’ ગણાવ્યો. તેમણે કહ્યું કે VIP લોકોને ખાસ સુવિધાઓ આપવામાં આવી રહી છે પરંતુ ગરીબોને તેનાથી વંચિત રાખવામાં આવી રહ્યા છે.
મમતા બેનર્જીએ કહ્યું, ‘મહાકુંભ હવે મૃત્યુ કુંભમાં ફેરવાઈ ગયો છે.’ વીઆઈપી લોકોને ખાસ સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. માત્ર મમતા બેનર્જી જ નહીં, પરંતુ ઘણા વિપક્ષી નેતાઓ મહાકુંભને લઈને સીએમ યોગી પર હુમલો કરી રહ્યા છે અને તેમના પર અરાજકતા અને ગેરવહીવટનો આરોપ લગાવી રહ્યા છે.
![](https://chitralekha.com/chitralemag/wp-content/themes/Newspaper/images/whatsapp-channel-follow.png)