ભારત પાકિસ્તાનના વધતા ઘર્ષણ વચ્ચે ‘પાક’નું ત્રીજું મિસાઈલ પરિષણ

પહલગામ હુમલા બાદ ભારત પાકિસ્તાન વચ્ચે તણાવ દિવસે-દિવસે વધી રહ્યો છે. ભારત યુદ્ધની તૈયારીઓ સાથે પાકિસ્તાન પર લગામ કસી રહ્યું છે. અલગ અલગ રીતે પાકિસ્તાનને ફટકો માટે ધૂળ ચટાવા માટે ભારત એક બાદ એક મહત્વના પગલા ભરી રહ્યું છે. આ વચ્ચે પાકિસ્તાન પણ વળતો જવાબ આપવાની તૈયારી કરી રહ્યું હોય તું લાગી રહ્યું છે. પાકિસ્તાનને સોમવારે 120 કિલોમીટર રેન્જની ‘ફતેહ’ શ્રેણીની બેલેસ્ટિક મિસાઈલનું સફળ પરીક્ષણ કર્યું, જે ‘એક્સ ઈન્ડસ’ લશ્કરી કવાયતનો ભાગ હતું. આ પહેલાં 3 મે, 2025ના રોજ 450 કિલોમીટર રેન્જની ‘અબ્દાલી’ મિસાઈલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું, જેનો હેતુ સૈન્યની યુદ્ધ તૈયારી અને અદ્યતન નેવિગેશન સિસ્ટમની ચકાસણી હોવાનું પાકિસ્તાની સેનાએ જણાવ્યું. આ પરીક્ષણો પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારત સાથે વધતા તણાવની પૃષ્ઠભૂમિમાં થયા છે, જેમાં 26 લોકો મૃત્યુ પામ્યા હતા.

File photo

બીજી તરફ, ભારતીય વાયુસેના એલર્ટ પર છે. રવિવારે એર ચીફ માર્શલ એપી સિંહે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પશ્ચિમી સરહદ પર રાફેલ સહિતના ફાઈટર જેટ અને સંરક્ષણ નેટવર્કની તૈયારીઓની માહિતી આપી. સુરક્ષા દળોએ જમ્મુ-કાશ્મીરના પૂંછના મારહોટ ગામમાં આતંકવાદી ઠેકાણું શોધી કાઢ્યું, જ્યાંથી 5 IED, વાયરલેસ સેટ અને કપડાં મળ્યા. આ ઉપરાંત, શ્રીનગર અને જમ્મુની જેલોમાં સુરક્ષા વધારાઈ, કારણ કે ગુપ્તચર માહિતીએ આતંકવાદી હુમલાની શંકા વ્યક્ત કરી છે.

પહેલગામ હુમલા બાદ ભારતે સિંધુ જળ સંધિ રદ કરી, ચિનાબ નદી પરના બગલીહાર અને સલાલ ડેમના દરવાજા બંધ કરી દીધા, જેનાથી પાકિસ્તાનમાં પાણીનો પ્રવાહ ઘટ્યો. NIAએ જમ્મુની કોટ બલવાલ જેલમાં લશ્કર-એ-તૈયબાના ઓવરગ્રાઉન્ડ વર્કર્સ નિસાર અહેમદ અને મુશ્તાક હુસૈનની પૂછપરછ કરી, જેઓ 2023ના ડાંગરી અને 2025ના પહેલગામ હુમલામાં શંકાસ્પદ છે. પાકિસ્તાનના રશિયા ખાતેના રાજદૂતે પરમાણુ હુમલાની ધમકી આપી, જેનાથી તણાવ વધ્યો છે.