ઈરાનમાં 5.9નો ભૂકંપ; 7નાં મરણ, 440ને ઈજા

તેહરાનઃ ઈરાનમાં તૂર્કી સાથે સરહદ બનાવતા વિસ્તારોમાં શનિવાર રાતે (ભારતમાં રવિવારે વહેલી સવારે) 5.9ની તીવ્રતાનો ભૂકંપ આવતાં ઓછામાં ઓછા સાત જણ માર્યા ગયા છે અને બીજાં 440થી વધારે લોકોને ઈજા થઈ છે.

આ ભૂકંપ ઈરાનના અઝરબૈજાન પ્રાંતના ખોય શહેરમાં આવ્યો હતો. એને કારણે અનેક મકાનો જમીનદોસ્ત થયાના અહેવાલ છે. મરણાંક વધવાની સંભાવના છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]