KBC 16: અમિતાભ સાથે આમિર અને જુનૈદ ખોલશે અનેક રહસ્ય

મુંબઈ: કૌન બનેગા કરોડપતિ દેશના સૌથી લોકપ્રિય શોમાંનો એક છે. અમિતાભ બચ્ચનની અદ્ભુત હોસ્ટિંગ લોકોને આ શોમાં દર્શકોને રાખે છે. સમયાંતરે ફિલ્મ સ્ટાર્સ પણ શૉમાં સામેલ થતાં હોય છે. ટૂંક સમયમાં કેબીસીની 16મી સીઝનના એપિસોડમાં આમિર ખાન તેના પુત્ર જુનૈદ સાથે જોવા મળશે. બિગ બીનો જન્મદિવસ પણ નજીક આવી રહ્યો છે. શો અમિતાભ બચ્ચનના 82મા જન્મદિવસની શરૂઆત તેમના વિશેષ ‘મહાનાયક કા જન્મોત્સવ’ એપિસોડ સાથે કરશે!

શૉ દરમિયાન અમિતાભ બચ્ચને જુનૈદ ખાનની પ્રશંસા કરી હતી. મહારાજા ફિલ્મમાં જુનૈદ ખાનની એક્ટિંગના વખાણ કર્યા હતા. આ સાથે જ અમિતાભ બચ્ચને પૂછ્યું કે તેમણે ઇન્ડસ્ટ્રીમાં તેમના પિતાના વિશાળ અનુભવથી શું શીખ્યું છે. આમિર ખાને કટાક્ષના સંકેત સાથે જવાબ આપતા કહ્યું,”શરૂઆતમાં મેં જુનૈદને ફિલ્મ ન કરવાની સલાહ આપી હતી. કારણ કે તેણે ઘણા સ્ક્રીન ટેસ્ટમાંથી પસાર થવું પડ્યું હતું અને દરેક વખતે તેને અસ્વીકારનો સામનો કરવો પડ્યો હતો. જોકે, તેને મહારાજા માટે પસંદ કરવામાં આવ્યો પણ મને લાગ્યું કે તેણે તે ન કરવી જોઈએ.”

જુનૈદે તેમને કહ્યું હતું કે આ એકમાત્ર ફિલ્મ છે જે તેને ઓફર કરવામાં આવી અને જો તે આ નહીં લે તો તે ક્યારે અભિનય કરવાનું શરૂ કરશે? જુનૈદે વધુમાં ઉમેર્યું,”હું થિયેટર સ્કૂલમાં જોડાવા માંગતો હતો પપ્પા સમંત થયા અને મને મૂલ્યવાન સલાહ આપી. તેમણે કહ્યું કે’તમે અનુભવ દ્વારા ગમે ત્યાં અભિનય શીખી શકો છો. પરંતુ જો તમે ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં સફળ થવા માંગતા હોય તો તમારે હિન્દી અને આ દેશની સંસ્કૃતિને સમજવી જ જોઇએ. તમારે ભારતના લોકો સાથે જોડાવવું પડશે,નહિંતર તમે એક મહાન અભિનેતા બની શકો છો પરંતુ તમે અહીં ફિટ થઈ શકશો નહીં.’

આમિરે ઉમેર્યું, “મેં તેને કશ્મીરથી કન્યાકુમારી સુધી બસ દ્વારા મુસાફરી કરવાની સલાહ પણ આપી હતીઅને સ્થાનિક સંસ્કૃતિઓની શોધખોળ માટે ચોક્કસ સમયગાળા માટે ત્યાં રહેવાની સલાહ આપી હતી. તે પ્રવાસ તમને એવી વસ્તુઓ શીખવશે જે કોઈ શાળા કે કોલેજ શીખવી શકતી નથી.”

જુનૈદને આપવામાં આવેલી આમિરની સલાહ સાથે સંમત થતાં અમિતાભ બચ્ચને કહ્યું, “મેં અભિષેકને તે જ સલાહ આપી હતી. મેં તેને બે-ત્રણ મહિના સ્થાનિક લોકોની વચ્ચે રહેવા અને તેમને મળવાનું સૂચવ્યું હતું, કારણ કે તેનાથી તેની અભિનય કારકિર્દીમાં ઘણી મદદ મળી શકે.”