હમાસે બંધકોના ત્રીજા ગૃપને મુક્ત કર્યું, 14 ઇઝરાયેલ અને 3 વિદેશી નાગરિકોને છોડ્યા

હમાસે રવિવારેના રોજ બંધકોના ત્રીજા જૂથને મુક્ત કર્યો. ટાઈમ્સ ઓફ ઈઝરાયેલના અહેવાલ મુજબ ઈઝરાયેલની સેનાએ જણાવ્યું કે ગાઝા પટ્ટીમાં બંધક બનાવવામાં આવેલા 14 ઈઝરાયેલ અને ત્રણ વિદેશી નાગરિકોને મુક્ત કરવામાં આવ્યા છે. સેનાએ જણાવ્યું હતું કે એક બંધકને સીધો ઇઝરાયેલની હોસ્પિટલમાં એરલિફ્ટ કરવામાં આવ્યો હતો. કરાર હેઠળ, ઇઝરાયેલ રવિવારે 39 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવાનું હતું. આ સતત ત્રીજો દિવસ હતો જ્યારે હમાસે પેલેસ્ટિનિયન કેદીઓના બદલામાં ગાઝામાં રાખવામાં આવેલા ઇઝરાયલી બંધકોને મુક્ત કર્યા હતા.

હમાસ 50 ઈઝરાયેલી બંધકોને મુક્ત કરશે

ઇઝરાયેલ અને હમાસ વચ્ચે ચોથો બંધક વિનિમય કરાર સોમવારે થવાની ધારણા છે. બંને દેશો વચ્ચે ચાર દિવસીય યુદ્ધવિરામનો સોમવારે છેલ્લો દિવસ છે. કરાર હેઠળ હમાસ 50 ઈઝરાયેલ બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલ દ્વારા 150 પેલેસ્ટિનિયન કેદીઓને મુક્ત કરવામાં આવનાર છે. હાલમાં હમાસ દ્વારા મુક્ત કરાયેલા 12 બંધકોને ISA અને IDF વિશેષ દળો સાથે હેટઝરિમ બેઝ પર લઈ જવામાં આવી રહ્યા છે. IDFએ ટ્વિટર પર એક પોસ્ટમાં જણાવ્યું હતું.

 


ઇઝરાયેલે હમાસના ઠેકાણાઓને નષ્ટ કર્યા

7 ઓક્ટોબરે હમાસ દ્વારા કરવામાં આવેલા હુમલા બાદ ઈઝરાયેલે યુદ્ધની જાહેરાત કરી હતી. આ પછી ઇઝરાયલે ગાઝા પટ્ટીમાં ઘૂસીને હમાસના ઠેકાણાઓને નષ્ટ કરવાનું શરૂ કર્યું. હિન્દુસ્તાન ટાઈમ્સ અનુસાર, ગાઝા પટ્ટીમાં ઈઝરાયેલના હુમલામાં 1200 લોકો માર્યા ગયા હતા અને 240 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. હમાસના સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ઈઝરાયેલના હુમલામાં 13,300થી વધુ લોકો માર્યા ગયા છે. ઇઝરાયલના આર્મી ચીફ લેફ્ટનન્ટ જનરલ હરજી હલેવીએ પોતાના સૈનિકોને લખેલા પત્રમાં કહ્યું છે કે યુદ્ધવિરામ સમાપ્ત થયા બાદ સેના હમાસ સામે લડવા માટે પાછી જશે.