પૃથ્વી પર હજારો જીવ રહે છે. એમાં માણસો જ પૃથ્વી પરના જળ, જમીન, પર્વત અને કુદરતી સંપત્તિને વધુ પ્રદુષિત કરી રહ્યો છે. એમાં કેટલાક દેશના માણસો પૃથ્વી પરના પર્યાવરણને બચાવવા ઝઝુમી રહ્યા છે.
5 જૂનને 1972માં સ્ટોકહોમમાં યુ.એન જનરલ એસેમ્બલી દ્વારા ‘પર્યાવરણ દિવસ’ તરીકે જાહેર કરવામાં આવ્યો. 2025ના પર્યાવરણ દિવસની થીમ છે..પૃથ્વી પરથી પ્લાસ્ટિકનો અંત લાવવો.
અમદાવાદ શહેરના જુદા જુદા નવ જેટલા સ્થળોએ પર્યાવરણની જાગૃતિ માટે પ્લાસ્ટિકની પાણીની બોટલ જેવી જ એક વિશાળ સ્ટીલનું ઈન્સ્ટોલેશન મુકવામાં આવ્યું છે. એની પર પર્યાવરણ દિવસ નિમિત્તે સંદેશ છે..’ This is what you drink, because this is what you throw.
‘જેડ અર્થ ‘ જેડબ્લ્યુ સાથે ક્રીએટિવ કામ કરતા ઈશાની સંજિત ચિત્રલેખા.કોમને કહે છે “પર્યાવરણની જાગૃતિ માટે લોકોને સંદેશ આપવાનો આ શ્રેષ્ઠ ઉપક્રમ છે. આવા રચનાત્મક સંદેશ પાણીની બોટલ સ્વરૂપે શહેરના જુદા જુદા નવ જેટલા સ્થળોએ લગાડ્યા છે. જેમાં સિંધુ ભવન રોડ, વસ્ત્રાપુર લેક, IIM, લો ગાર્ડન, રિવરફ્રન્ટ, યુનિવર્સિટી, નહેરુ નગર, ONGC સર્કલ, કોમર્સ સર્કલ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.”
સતત વિસ વર્ષથી જુદી જુદી થીમ ડિઝાઈન સાથે પર્યાવરણ દિવસ નિમિત્તે ઈન્સ્ટોલેશન મુકવામાં આવે છે. આ વર્ષે પ્લાસ્ટિક પરની થીમ છે. કારણ જળ અને સ્થળો બધે માઈક્રો પ્લાસ્ટિકના ઉપયોગે માઝા મુકી છે. રખડતાં ઢોર અને માછલી સહિત અનેક જીવોને પ્લાસ્ટિક પેટમાં જવાથી હાનિ પહોંચે છે.
(પ્રજ્ઞેશ વ્યાસ)
