રાજ્યપાલે રાજભવનમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું

ગાંધીનગરઃ રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના સ્વાતંત્ર્ય પર્વ દિને રાજ્યના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે રાજભવનના પ્રાંગણમાં રાષ્ટ્રધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું.

આ પ્રસંગે રાજ્યપાલ અને લેડી ગવર્નર દર્શના દેવીના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ભારતીય સેનાના વરિષ્ઠ અધિકારીઓ, રાજભવનના અધિકારીઓ તથા તેમના પરિવારજનો ઉપસ્થિત રહ્યા હતા.govgover

સ્વતંત્ર્યતા દિવસની ઉજવણીમાં રાજ્યપાલ હાજર રહ્યા

રાજ્યપાલે પાટનગરમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણીમાં પણ હાજરી આપી હતી. રાજ્યમાં સ્વતંત્ર્યતા દિવસની ઉજવણી ગાંધીનગરમાં જ કરવામાં આવી છે. દેશના 74મા સ્વતંત્રના પર્વની ઉજવણીમાં મુખ્ય પ્રધાન વિજય રૂપાણી અને ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત હાજરી આપી હતી. ગુજરાત વિધાનસભા અને મહાત્મા મંદિર વચ્ચે આવેલા સ્વર્ણિમ પાર્કમાં રાજ્ય કક્ષાના સ્વતંત્ર પર્વની ઉજવણી કરવામાં આવી હતી. જોકે કોરોનાને કારણે સ્વતંત્ર્યતા દિનની ઉજવણી સાદાઈથી કરવામાં આવી હતી.