સાવરકુંડલા APMCના ડિરેક્ટર અંકુર રામાણીનો ગળાફાંસો ખાઈ આપઘાત

સાવરકુંડલામાં આજે વહેલી સવારે દુઃખદ ઘટના બની છે, જ્યાં APMCના 32 વર્ષીય ડિરેક્ટર અંકુર રામાણીએ પોતાના ઘરે ગળાફાંસો ખાઈ જીવન ટૂંકાવ્યું છે. અંકુર રામાણીએ તેમાના પિયાવા સ્થિત નિવાસસ્થાને જ ગળાફાસો ખાઈ આત્માહત્યા કરી હતી. ઉલ્લેખનીય છે કે આ કરવા પાછળનું કોઈપણ સ્પષ્ટ કારણ પણ સામે આવ્યું નથી. પોલીસને ઘટનાસ્થળેથી સ્યુસાઇડ નોટ મળી છે, જેમાં કેટલીક અંગત પરિસ્થિતિઓને કારણે દિલ તૂટી જવાનું કારણ જણાય રહ્યા છે.

સૂત્રોની જાણકારી મુજબ, અંકુર રામાણી પારિવારિક તણાવ હેઠળ જીવી રહ્યાં હતા. કહેવાય છે કે પત્ની રિસામણમાં હોવાથી તેઓ માનસિક રીતે અત્યંત દબાણમાં હતા. ઘરના એકમાત્ર પુત્ર અને ચાર બહેનોમાં વચ્ચે લાડકવાયો ભાઈ ગણાતા અંકુરનું આ રીતે અચાનક વિદાય લેવું સમગ્ર સમાજને ચોંકાવનારી ઘટના બની છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલ્યો છે અને આત્મહત્યાની પાછળનાં સ્પષ્ટ કારણો શોધવા તપાસ શરૂ કરી છે.

આ અકસ્માતિક ઘટના બાદ સમગ્ર સાવરકુંડલા વિસ્તારમાં શોકનું માહોલ જોવા મળ્યો છે. APMC દ્વારા પણ દુઃખ વ્યક્ત કરીને આવતીકાલે સમગ્ર માર્કેટ યાર્ડ બંધ રાખવાની જાહેરાત કરવામાં આવી છે. સ્થાનિક લોકો, વેપારીઓ અને શાહેરી સ્તરે અંકુરના નિધનથી ગંભીર અસર પડી છે અને હાલ સૌ કોઇ તેમનાં પરિવાર સાથે સહાનુભૂતિ વ્યક્ત કરી રહ્યાં છે.