રાજ્યમાં અકસ્માતોની વણજારઃ ત્રણનાં મોત, 16 ઘાયલ

અમદાવાદઃ રાજ્યમાં અકસ્માતોની વણજાર સર્જાઈ છે. રાજ્યમાં વાહનોચાલકો બેફામ બન્યા છે. રાજ્યમાં કુલ પાંચ અકસ્માતો થયા, જેમાં આ અકસ્માતોમાં ત્રણ જણનાં મોત થયાં છે, જ્યારે આશરે 16 લોકો ઘાયલ થયા છે.

બનાસકાંઠામાં દાદા-પુત્રનાં મોત

બનાસકાંઠામાં કારે અડફેટે લેતાં દાદા-પૌત્રનાં મોત થયાં છે. દાદા બે પૌત્ર સાથે દૂધ ભરાવવા જતા હતા, ત્યારે પૂરઝડપે આવતી કારે તેમને અડફેટે તેમને લેતાં એક પૌત્ર અને દાદાનાં મોત થયાં છે, જ્યારે એક પૌત્ર હોસ્પિટલમાં જીવનમરણ વચ્ચે ઝોલાં ખાઈ રહ્યો છે. જોકે આ  ઘટના CCTV કેમરામાં કેદ થઈ છે. કાળજું કંપાવનારી આ ઘટનામાં એક દીકરીનો થોડીક સેકન્ડ માટે જીવ બચી ગયો છે. તેની નજર સામે જ પિતા અને ભત્રીજાનું મોત થતાં પરિવારમાં શોક વ્યાપ્યો છે.

નેશનલ પાલનપુર-આબુ રોડ હાઇવે એક કારે દાદા અને બંને પૌત્રને ધડાકાભેર ટક્કર મારી હતી. ટક્કર મારી હતી. જેમાં બેના મોત નીપજ્યા હતા અને એક પૌત્રને સ્થાનિકો દ્વારા તેને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. પોલીસે તત્કાલીક ઘટના સ્થળ પર પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. દાદા અને પૌત્રનું મોત થતાં પરિવાર પર આભ તૂટી પડ્યું છે.

લક્ઝરી બસને અકસ્માત

મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર ખાનગી લક્ઝરી બસને અકસ્માત નડ્યો છે. વલવાડા ઝાડી વિસ્તારમાં ઘોડસ્થળ પૂલ પાસે બસના ચાલકે સ્ટિયરિંગ પરથી કાબૂ બસને અકસ્માત નડ્યો હતો. આ લક્ઝરી બસમાં 26 મુસાફરો સવાર હતા. આ અકસ્માતને પગલે મહુવા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે ખસેડાયા હતા.

આ તમામ મુસાફરો મહેસાણાના રહેવાસી છે અને તેઓ ગાંધીનગરથી નાસિક શીરડી યાત્રાએ જવા નીકળ્યા હતા. મહુવા અનાવલ સ્ટેટ હાઇવે પર બસને અકસ્માત નડ્યો છે.અકસ્માતમાં બે મહિલાને સામાન્ય ઈજા પહોંચી છે. ઈજાગ્રસ્ટ મહિલાને અનાવલ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયા છે.

ખંભાળિયા પાસે ત્રણ અકસ્માત

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જુદા-જુદા ત્રણ સ્થળે અકસ્માત થયાં છે. જેમાં એકનું મોત થયું છે, જ્યારે 12 લોકો ઇજાગ્રસ્ત થયા છે. આ તમામ અકસ્માત ખંભાળિયા-દ્વારકા હાઈવે પર થયા છે.

પ્રથમ અકસ્માત લીંબડી નજીક બાઇક અને 108 એમ્બ્યુલન્સ વચ્ચે સર્જાયો હતો. જેમાં એકનું ઘટના સ્થળે મોત થયું, જ્યારે ત્રણ લોકોને સારવાર માટે ખંભાળિયા લઈ જવામાં આવ્યા છે. બીજી બાજુ સામોર ગામના પાટિયા નજીક બીજો અકસ્માત સર્જાયો, જેમાં પિકઅપ વાન ડિવાઇડર સાથે ટકરાતાં આઠ લોકો ઇજાગ્રસ્ત થયા છે. ત્રીજો અકસ્માત ખંભાળિયા માર્કેટ યાર્ડ નજીક ડાયવર્ઝનના પથ્થર સાથે કાર ટકરાતાં એક મહિલા ઈજાગ્રસ્ત થઈ છે. જેને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.