કોરોના ઈફેક્ટઃ મુખ્યમંત્રી રુપાણીના જાહેર કાર્યક્રમ 31 માર્ચ સુધી મોકૂફ

ગાંધીનગરઃ કોરોના વાયરસથી ભારતમાં બે મોત થયા બાદ હવે ગુજરાત સરકાર પણ સતર્ક થઈ ગઈ છે. જોકે, ગુજરાતમાં હજી સુધી કોરોના વાયરસનો એક પણ દર્દી નોંધાયો છે. તેમ છતાં ગુજરાતમાં કોરોના વાયરસને પ્રવેશતા અટકાવવા માટે શક્યત તમામ પ્રયાસો ગુજરાત સરકાર દ્વારા હાથ ધરવામાં આવ્યા છે. ત્યારે હાલ મોટા સમાચાર સામે આવ્યા છે કે, કોરોના વાયરસને લઇ સાવચેતીનાં ભાગરૂપે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતાના આગામી દિવસોનાં જાહેર કાર્યક્રમો કેન્સલ કર્યાં છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, કોરોના વાયરસથી સાવચેતીનાં ભાગરૂપે સીએમ વિજય રૂપાણી કોઈ જાહેર કાર્યક્રમોમા હાજર નહી રહે. મુખ્યમંત્રી સાથે કે સરકાર સાથે જોડાયેલ કોઈ સરકારી કાર્યક્રમો પણ પણ મુખ્યમંત્રી નહી જાય. સાવધાની રૂપે 31 માર્ચ સુધીનાં મુખ્યમંત્રીના શિડ્યુલના તમામ કાર્યક્રમો રદ કરવામાં આવ્યાં છે. સંબંધિત અધિકારીઓ, મંત્રીઓ અને વિભાગો પણ જાહેર કાર્યક્રમો ન યોજે તે સૂચના આપવામા આવી છે.