અમદાવાદ શહેરમાં અનેક વિસ્તારોમાં બંધની અસર…

અમદાવાદ: શહેરના કેટલાક વિસ્તારોમાં સીએએ, એનઆરસી, એનપીઆરના વિરોધ સાથે જડબેસલાક બંધ પાળવામાં આવ્યો. 29 જાન્યુઆરીને બુધવારની સવારથી જ બહુજન ક્રાંતિ મોર્ચા સહિત અનેક સંગઠનોએ ગુજરાતના જુદા જુદા ભાગોમાં બંધ પાળ્યો હતો.

 

અમદાવાદ શહેરના દરિયાપુર, કાળુપુર, ત્રણ દરવાજા, ઢાલગરવાડ , જમાલપુર, મિરઝાપુર, શાહપુર, ખાનપુર જેવા મુસ્લિમ બહુસંખ્યક વિસ્તારોમાં વેપાર ધંધા સદંતર બંધ રહ્યા. કેટલીક શૈક્ષણિક સંસ્થાઓમાં પણ બંધ પાળવામાં આવ્યો હતો. કોટ વિસ્તાર સહિત ની અમદાવાદ શહેરની કેટલાક વેપારી સ્થળોએ સીએએ, એનઆરસી, એનપીઆર ના વિરોધમાં પોસ્ટરો લગાડવામાં આવ્યા હતા.

આ સાથે મુસ્લિમ સંગઠનો અને રાજકીય પક્ષો સાથે જોડાયેલા નેતા – કાર્યકર્તાઓએ લોકોને શાંતિથી બંધ પાળવા અપીલ કરી હતી. શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસ, આર.પી.એફ, એસ.આર.પી, હોમગાર્ડસ ના જવાનોનો ચૂસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો. આ સાથે અસામાજીક તત્વો કોઇપણ ભાંગફોડ પ્રવૃત્તિના કરે એ માટે પોલીસની જુદી જુદી ગાડીઓનું પેટ્રોલિંગ પણ વધારી દેવામાં આવ્યું છે.

(પ્રજ્ઞેશ વ્યાસ)