અમદાવાદ: શહેરના જમાલપુર વિસ્તારમાં આવેલા ભગવાન જગન્નાથના મંદિરમાં આજે સંકુલમાં જ રથ ફેરવવામાં આવ્યા હતા.
મુખ્યમંત્રી વિજય રૂપાણી, મહંત દિલીપદાસજી અને ભક્તોની ઉપસ્થિતમાં પહિંદ વિધિ પૂર્ણ થયા બાદ મંદિર પરિસરમાંથી રથયાત્રાને નગરમાં લઇ જવા માટે મંદિરના સત્તાવાળાઓ, પોલીસ અધિકારીઓ અને રાજકીય નેતાઓની બેઠક થઈ હતી. બેઠક બાદ નક્કી કરાયા મુજબ, મંદિર પરિસરમાં જ ભગવાન જગન્નાથ, સુભદ્રાજી તેમજ બલરામજીના રથને ફેરવવામાં આવ્યા હતા.
રથયાત્રા નિમિત્તે સમગ્ર મંદિર પરિસરમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. રથ બહાર લઇ જવા કે નહીં એ બાબતની મીટિંગ ચાલતી હતી એ વેળાએ મંદિરની બહાર એસ.આર.પી, શહેર પોલીસ તેમજ સુરક્ષા વ્યવસ્થા સાથે સંકળાયેલા વાહનોને સંકુલ બહાર આડા મૂકી દેવામાં આવ્યા હતા. પરિસરની બહાર આર.એ.એફ તેમજ ચેતક કમાન્ડોના જવાનોને ગોઠવી દેવામાં આવ્યા હતા.
સંકુલમાં રથયાત્રા ફેરવ્યા બાદ મોટી સંખ્યામાં ભાવિક ભક્તોએ દર્શન કર્યા હતા. પરંતુે કેટલાક ભક્તોને ભગવાન પોતાના વિસ્તાર કે ઘર પાસેથી ન નીકળ્યા એના કારણે નિરાશ થઈ ગયા હતા.
(તસવીરોઃ પ્રજ્ઞેશ વ્યાસ)
भगवान जगन्नाथ की रथ यात्रा के पावन-पुनीत अवसर पर आप सभी को मेरी हार्दिक शुभकामनाएं। मेरी कामना है कि श्रद्धा और भक्ति से भरी यह यात्रा देशवासियों के जीवन में सुख, समृद्धि, सौभाग्य और आरोग्य लेकर आए। जय जगन्नाथ!
— Narendra Modi (@narendramodi) June 23, 2020
