અમદાવાદ એરપોર્ટ પરથી રૂ. 70 કરોડનું સોનું પરથી જપ્ત

અમદાવાદઃ કસ્ટમ વિભાગે હેરાફેરી કરેલું 135 કિલો સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયામાં જમા કરાવ્યું છે, જે સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પરથી વર્ષ 2024-25 દરમિયાન જપ્ત કરવામાં આવ્યું હતું. જપ્ત કરવામાં આવેલા આ સોનાની કિંમત રૂ. 70 કરોડ સુધીની આંકવામાં આવી છે. અમદાવાદ એરપોર્ટ પરથી તંત્ર દ્વારા વર્ષ દરમિયાન સોનાની હેરાફેરી કરતા ઘણા પેસેન્જરોની ધરપકડ કરવામાં આવી હતી, જે પૈકી 37 પેસેન્જર પાસેથી રૂ. 50 લાખ કે તેનાથી વધુ કિંમતનું સોનું ઝડપાયું હતું.

અમદાવાદ એરપોર્ટ પર સોનાની હેરાફેરીના કેસ વધી રહ્યા છે. હેરાફેરી કરતા સર્કલના લોકો કસ્ટમ અને સેન્ટ્રલ સિક્યોરિટી એજન્સીને છેતરવાના વિવિધ ઉપાયો કરે છે, પરંતુ તેમના પ્રયત્નો નિષ્ફળ જાય છે. કસ્ટમ વિભાગના સતર્ક અધિકારીઓ સતત હેરાફેરી કરનાર અને તેમના દાણચોરીના માલસામાનને પકડી પાડે છે.નાણાકીય વર્ષના અંતમાં એરપોર્ટ પરથી હેરાફેરીમાં જપ્ત કરાયેલ સોનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને સોંપવામાં આવ્યું છે, એમ કસ્ટમ વિભાગના વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું.

અમને એપ્રિલ 2024થી માર્ચ 2025 વચ્ચેના સમયગાળામાં 135 કિલો સોનું સ્મગ્લર્સ પાસેથી મળી આવ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે તેની હાલની કિંમત 70 કરોડથી પણ વધારે છે.