MMS લીક થતાં આ ભોજપુરી એક્ટ્રેસની કેરિયર ખતમ થઈ

નવી દિલ્હીઃ અત્યાર સુધી કેટલીય એક્ટ્રેસીસે ગ્લેમર વર્લ્ડને છોડીને અધ્યાત્મનો રસ્તો અપનાવ્યો છે. આ લિસ્ટમાં હવે એક ભોજપુરી એક્ટ્રેસનું નામ પણ સામેલ થઈ ગયું છે. ભોજપુરી ઇન્ડસ્ટ્રીની જાણીતી એક્ટ્રેસ પ્રિયંકા પંડિતની એક્ટ્રેસે ગ્લેમર છોડીને હવે અધ્યાત્મનો રસ્તો પસંદ કર્યો છે.

પ્રિયંકાએ પોતાની જીવનશૈલી ધરમૂળમાંથી બદલી કાઢી છે. તે હવે માટે સાત્વિક ભોજન જ લે છે. તે એની ઝલક ઇન્સ્ટાગ્રામ વિડિયોઝમાં અને ફોટોમાં આપતી રહે છે.

પ્રિયંકા એક્ટિંગને અલવિદા કહ્યા પછી ભગવાન કૃષ્ણની ભક્ત બની ગઈ છે. એક્ટ્રેસ હંમેશાં જ કૃષ્ણની ભક્તિમાં લીન રહે છે. તે ભગવદ ગીતાના શ્લોક વાંચે છે. અને એ પછી હિન્દીમાં અનુવાદ કરીને ફેન્સને સંભળાવે છે. પ્રિયંકા પંડિત ભોજપુરી ઇન્ડસ્ટ્રીની મશહૂર એક્ટ્રેસ હતી, પરંતુ એક ઘટનાએ તેનું જીવન બદલી નાખ્યું હતું. એક્ટ્રેસનો ગયા વર્ષે એક ખાનગી વિડિયો સોશિયલ મિડિયા પર લીક થઈ ગયો હતો. જેની તેણે ખૂબ ટીકાઓ સહન કરવી પડી હતી.

પ્રિયંકાને ભોજપુરી ફિલ્મ ઇન્ડસ્ટ્રીને શકીરા કહેવામાં આવતી હતી. તે લાખો દિલો પર રાજ કરતી હતી. તે MMS કાંડ પછી ખૂબ સમાચારોમાં રહી હતી. તેને એ આજ સુધી ભૂલી નથી શકી, કેમ કે તેના લીધે તેની કેરિયર ખતમ થઈ ગયું હતું.