‘મહાકાલ ચલો’ સોંગ રીલિસ થતાની સાથે વિવાદમાં ઘેરાયુ

બોલિવૂડ સુપરસ્ટાર અક્ષયકુમારનું નવું શિવમય ગીત લોન્ચ થતા સાથે વિવાદોમાં ઘરેયું છે. ઉલ્લેખીય છે કે મહાશિવરાત્રિ નજીક આવતા અક્ષય કુમારે તેમનું મહાકાલ ચલો ગીત લોન્ચ કર્યું છે. ઉજ્જૈન મહાકાલ મંદિરના પૂજારી ફેડરેશનના પ્રમુખે અક્ષયકુમારના ગીત સામે વાંધો ઉઠાવ્યો છે. મહાકાલ મંદિરના પૂજારીએ ગીતની પ્રશંસા કરી પણ કેટલાક સીન પર નારાજગી પણ વ્યક્ત કરી. ઉજ્જૈનમાં મહાકાલ મંદિરના પૂજારી મહેશ શર્માએ ‘મહાકાલ ચલો’ ગીતના કેટલાક સીન સામે વાંધો ઉઠાવ્યો છે અને તેને ધાર્મિક નગરી ઉજ્જૈનની પરંપરા માટે અયોગ્ય ગણાવ્યું છે  અને ફિલ્મ જગતના લોકોને ચેતવણી પણ આપી છે કે આ રીતે હિન્દુ અને સનાતન ધર્મનું અપમાન ન કરવું જોઈએ.

ઓલ ઈન્ડિયા પૂજારી ફેડરેશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને મહાકાલ મંદિરના પૂજારી પંડિત મહેશ શર્માએ ગીતનો વિરોધ કરતા કહ્યું કે ગીતની શરૂઆતમાં ‘મહાકાલ ચલો’ શબ્દો કહેવામાં આવ્યા છે તે સારી વાત છે, પરંતુ ગીતમાં એક્ટર અક્ષયકુમાર શિવલિંગને બાથ ભરીને જોવા મળે છે. આ સમયે શિવલિંગનો અભિષેક કરવામાં આવે છે. અભિષેક દરમિયાન, શિવલિંગ સાથે વ્યક્તિ પર પંચામૃત ચઢાવવું, જે બિલકુલ ખોટું છે.

પંડિત મહેશ શર્માએ વધુમાં કહ્યું કે, બાબા મહાકાલનું વિશ્વપ્રસિદ્ધ શિવલિંગ એકમાત્ર શિવલિંગ છે જેના પર ભસ્મ ચઢાવવામાં આવે છે. આ સિવાય બીજે ક્યાંય ભગવાન શિવને ભસ્મ ચઢાવવામાં આવતી નથી, પરંતુ આ ગીત બનાવતી વખતે, કોઈપણ સ્ટુડિયોમાં ભગવાન શિવનું શિવલિંગ બનાવીને તેના પર ભસ્મ ચઢાવવું અને પોતાના પર ભસ્મ ચઢાવવાનું દૃશ્ય દર્શાવવું અયોગ્ય છે. પંડિત મહેશ શર્મા અનુસાર, ગીતમાં આવા સીનથી ઉજ્જૈનની પરંપરાને નુકસાન થાય છે. આના કારણે ભક્તોના મનમાં લાગણીઓ વિકૃત થાય છે અને સનાતન ધર્મ પર પણ આંગળીઓ ઊંચી થાય છે. આ સીન પર પ્રતિબંધ મૂકવો જોઈએ. અગાઉ પણ આવી જ ભૂલ થયેલી છે, જેની સામે અમે અવાજ ઉઠાવ્યો હતો. તે કેસ હજુ પણ કોર્ટમાં ચાલી રહ્યો છે.

પંડિત મહેશ શર્માએ કહ્યું હતું કે ફિલ્મજગતના લોકો વારંવાર આ રીતે હિન્દુ સનાતની ધર્મ સાથે રમત ન કરે અને ધાર્મિક નેતાઓ અને આચાર્યો ચૂપ ન રહે. તેમણે સનાતન ધર્મની પ્રણાલીઓ વિરુદ્ધ જોરદાર અવાજ ઉઠાવવો જોઈએ અને તેનો વિરોધ પણ કરવો જોઈએ, તો જ દેશમાં સનાતન ટકી શકશે. પંડિત મહેશ શર્માએ કહ્યું કે ફક્ત ભગવો પહેરીને તમારા અંગત કામ કરાવવાથી કંઈ પ્રાપ્ત થશે નહીં. હું એવા લોકોની નિંદા કરું છું જેઓ ફક્ત પોતાના અંગત સ્વાર્થ પૂરા કરવા માટે સનાતન ધર્મ વિશે વાત કરે છે. હું આ વીડિઓમાં બતાવેલા સીનની પણ નિંદા કરું છું.