મની લોન્ડરિંગ મામલે રોબર્ટ વાડ્રાને કોર્ટની નોટિસ

નવી દિલ્હીઃ મની લોન્ડરિંગ મામલે રોબર્ટ વાડ્રાને રાઉઝ એવેન્યુ કોર્ટે નોટિસ જારી કરી છે. રાઉઝ એવેન્યુ કોર્ટે આ મામલે નોટિસ આપી છે. હવે આ મામલે સુનાવણી 28 ઓગસ્ટે  થશે. ED  દ્વારા 2008ના મની લોન્ડરિંગ કેસમાં ગુરુગ્રામના શિકોહપુરમાં આવેલી 3.53 એકર જમીનના સોદા માટે રોબર્ટ વાડ્રા અને અન્ય વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરવામાં આવ્યો છે. EDએ દાવો કર્યો છે કે ગુનાની આવક વાડ્રા દ્વારા નિયંત્રિત વિવિધ કંપનીઓ મારફતે કરવામાં આવી હતી.

રાઉઝ એવેન્યુ કોર્ટે મની લોન્ડરિંગ ફરિયાદને આધારે રોબર્ટ વાડ્રા અને અન્ય પ્રસ્તાવિત આરોપીઓ વિરુદ્ધ નોટિસ જાહેર કરી છે. EDએ તાજેતરમાં જ આ મામલે આરોપપત્ર દાખલ કર્યા છે. કોર્ટે EDને આ આરોપપત્રની નકલ તમામ પ્રસ્તાવિત આરોપીઓને ઉપલબ્ધ કરાવવાનો આદેશ આપ્યો છે. આ કેસમાં કુલ ત્રણ વ્યક્તિઓ અને આઠ કંપનીઓ વિરુદ્ધ આરોપપત્ર દાખલ કરાયો છે.EDએ આ મામલે કોર્ટને જણાવ્યું હતું કે વાડ્રાની સ્કાયલાઈટ કંપનીએ ઉચ્ચ અધિકારીઓના દબાણ હેઠળ વ્યાવસાયિક હાઉસિંગ વિકાસ માટે લાયસન્સ મેળવ્યું હતું. EDએ દલીલ કરી હતી કે લાયસન્સની ફાઇલો ઝડપથી પ્રક્રિયા કરવામાં આવી હતી અને કંપનીની નાણાકીય ક્ષમતા અંગે કોઈ તપાસ કરવામાં નહીં આવી. લાયસન્સ અસંગત અસર હેઠળ અને જરૂરી પૂર્વશરતો અવગણીને મેળવવામાં આવ્યું હતું. EDએ એ પણ જણાવ્યું હતું કે તે સરકારી અધિકારીઓના નિવેદનો રજૂ કર્યાં છે, જેમણે આ લાયસન્સ જારી કરવાનું કામ કર્યું હતું.

કંપનીએ ચાર સ્તરે પૈસા મેળવ્યા હતા. EDએ દાવો કર્યો છે કે તપાસ દરમિયાન જાણવા મળ્યું છે કે વાડ્રાની કંપનીને રૂ. 42.62 કરોડનો નફો થયો હતો. EDએ દાવો કર્યો કે સ્કાયલાઈટ કંપનીએ ટોચના સ્તરના દબાણના આધારે લાયસન્સ મેળવ્યું હતું.