છેલ્લાં ત્રણ વર્ષમાં સરકારી બેન્કોએ રૂ. 3.66 લાખ કરોડની માંડવાળ કરી

નવી દિલ્હીઃ દેશની સરકારી બેન્કોએ છેલ્લાં ત્રણ નાણાકીય વર્ષોમાં રૂ. 3.66 લાખ કરોડનાં દેવાંને રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધી છે. RBI આ માહિતી એક RTIના જવાબમાં આપી છે. ડેટા મુજબ આ બેન્કોએ માત્ર રૂ. 1.9 લાખ કરોડની વસૂલાત કરી છે. નાણાકીય વર્ષ 2022-23માં કુલ રિકવરી FY21માં 58,494 કરોડથી વધીને રૂ. 67,162 કરોડ થઈ ગઈ છે. આ સમયગાળામાં કુલ રાઇટ ઓફ રૂ. 1.18 લાખ કરોડની તુલનાએ રૂ. 1.31 લાખ કરોડ રહી છે.

FY23માં કેનેરા બેન્ક સિવાયની બધી સરકારી બેન્કોએ રિકવરીની તુલનામાં વધુ રાઇટ ઓફ કરી છે. સ્ટેટ બેન્કે રૂ. 13,024 કરોડની રિકવરીની તુલનામાં રૂ. 24,061 કરોડની લોનની માંડવાળ કરી છે. બેન્ક ઓફ બરોડાએ કુલ રાઇટ ઓફ લોન રૂ. 17,998 કરોડ રહી છે, જ્યારે એની રિકવરી રૂ. 6294 કરોડ રહી છે, જ્યારે કેનેરા બેન્કે FY23માં કુલ રૂ. 11,919 કરોડની રિકવરી કરી છે અને રૂ. 4472 કરોડની લોન રાઇટ ઓફ કરી છે. કેન્દ્રીય બેન્કે બેડ લોનની રિકવરી માટે ઝડપથી કામ કરવા માટે બેન્કોને નિર્દેસ આપ્યા છે.

RBIના ડેપ્યુટી ગવર્નર સ્વામિનાથને MPCની બેઠકમાં બેન્કોને સાઇટ ઓફ કરવામાં આવેલી લોનની વસૂલી માટે પ્રયાસો બમણા કરવા પર ભાર મૂક્યો હતો. આ સાથે છેલ્લાં પાંચ વર્ષમાં બેન્કોએ રૂ. 10.6 લાખ કરોડની લોન રાઇટ ઓફ (માંડવાળ) કરી દીધા છે. આ રકમમાંથી 50 ટકા મોટી કંપનીઓની લોન છે. સરકારે હાલમાં એ વિશેની માહિતી લોકસભામાં આપી છે. દેશની બધી શિડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોએ આ વર્ષ માર્ચમાં પૂરાં થયેલાં પાંચ વર્ષના સમયગાળામાં રૂ. 10.6 લાખ કરોડ શંકાસ્પદ લોન ખાતામાં નાખી દીધા છે.

 

 

 

 

 

Willful defaulters, owe, Indian banks, FM Bhagwat karad, RBI, Loan, Write Off,