ચૂંટણી વચ્ચે સરકારે ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ હટાવાયો

નવી દિલ્હીઃ દેશભરમાં ચાલી રહેલી લોકસભા ચૂંટણી વચ્ચે સરકારે શનિવારે ડુંગળીની નિકાસ પરથી પ્રતિબંધ દૂર કર્યા છે, પરંતુ એ સાથે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ (MEP) 550 ડોલર પ્રતિ ટન નક્કી કરી છે. DGFTએ એક નોટિફિકેશનમાં કહ્યું હતું કે ડુંગળીની નિકાસ નીતિને સંશોધિત કરીને તત્કાળ અસરથી અને આગામી આદેશ સુધી પ્રતિ ટન 550 ડોલરની MEP હેઠળ પ્રતિબંધથી મુક્ત કરવામાં આવી છે. સરકારે ગઈ કાલે રાત્રે ડુંગળીની નિકાસ પર 40 ટકા ડ્યુટી લગાવી હતી. ગયા વર્ષે ઓગસ્ટમાં ભારતે 31 ડિસેમ્બર, 2023 સુધી ડુંગળી પર 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લગાવી હતી.

સરકારે આઠ ડિસેમ્બર, 2023એ આ વર્ષની 31 માર્ચ સુધી ડુંગળી પર નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. માર્ચમાં નિકાસ પ્રતિબંધને આગામી આદેશ સુધી વધારી દેવામાં આવ્યો હતો. કૃષિ મંત્રાલયે માર્ચમાં ડુંગળીનું ઉત્પાદન ગયા વર્ષના આશરે 302.08 લાખ ટનની તુલનામાં આશરે 254.73 લાખ ટન થવાની અપેક્ષા છે.

ડેટા અનુસાર મહારાષ્ટ્રમાં 34.31 લાખ ટન, કર્માટકમાં 9.95 લાખ ટન, આંધ્ર પ્રદેશમાં 3.54 લાખ ટન અને રાજસ્થાનમાં 3.12 લાખ ટન ઉત્પાદન ઘટ્યું છે. મહારાષ્ટ્રના ખેડૂતોએ નિકાસ પ્રતિબંધનો વિરોધ કર્યો હતો. કોંગ્રેસ ગયા મહિને મોદી સરકાર ડુંગળીની નિકાસ પર પ્રતિબંધને કારણે મહારાષ્ટ્રના ખેડૂતોની ઉપેક્ષા કરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો.