Bigg Boss OTT 3: સના મકબુલ બની વિજેતા, રણવીરે સાધ્યું નિશાન

મુંબઈ: ‘બિગ બોસ OTT 3’ આખરે તેનો વિજેતા મળી ગયો છે. ઘણા વિવાદો બાદ આ શો પૂર્ણ થયો છે. સના મકબૂલ બિગ બૉસ OTT 3ની વિજેતા બની છે. સના મકબૂલ સાથે, રણવીર શૌરી, કૃતિકા મલિક, નેઝી અને સાઈ કેતન ટોચના પાંચ ફાઇનલિસ્ટ બન્યા. જોકે, ફિનાલેમાં સનાએ રેપર નેઝીને હરાવીને ટ્રોફી જીતી હતી. દરેક લોકો સનાની જીતની ખૂબ જ ઉત્સાહથી ઉજવણી કરી રહ્યા છે. જોકે, રણવીર શૌરી સનાની જીત પર ખુશ ના હોય એવું લાગે છે. તાજેતરમાં, બિગ બોસ સમાપ્ત થયા પછી તેણે કંઈક એવું કહ્યું જેની દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે.

રણવીરે જણાવ્યું કે સના કેવી રીતે વિજેતા બની

રણવીર શૌરીએ શોના ફિનાલે પછી મીડિયા સાથે વાત કરી હતી. આ દરમિયાન જ્યારે તેને વિજેતા વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેણે બિગ બોસ પર આરોપ લગાવતા કહ્યું,’જો ટ્રોફી માત્ર સોશિયલ મીડિયા ફોલોઅર્સના આધારે આપવામાં આવશે, તો સૌથી સારી વાત એ છે કે જેની પાસે સૌથી વધુ ફોલોઅર્સ હોય તેને જ ટ્રોફી આપવામાં આવે.’ એટલું જ નહીં આ દરમિયાન રણવીરે એમ પણ કહ્યું કે આ શોમાં સના કરતાં વધુ સક્ષમ લોકો હતા. આ પછી જ્યારે પેપ્સે તેને પૂછ્યું કે તમારા મતે વિજેતા કોણ છે? તો આનો જવાબ આપતાં રણવીરે કહ્યું, ‘હું હતો અને અરમાન હતો.’ હવે રણવીરના નિવેદનથી સ્પષ્ટ છે કે તે સનાની જીતથી ખુશ નથી.

રણવીર શૌરીએ પણ સારી રમત રમી

તમને જણાવી દઈએ કે રણવીર શૌરી ભલે ‘બિગ બોસ ઓટીટી 3’નો વિજેતા બની શક્યો ન હોય, પરંતુ આ શો તેના નામથી જ ઓળખાશે. શોમાં તેની સાદગી ચાહકોને પસંદ આવી હતી. રણવીરે નો શોમાં આખી ગેમ પોતાની બુદ્ધિમત્તા અને મહેનતથી રમી હતી. તેણે ક્યારેય કોઈ ખોટું સમર્થન કર્યું નથી. હંમેશા તથ્યો સાથે વાત કરી. તે ભાગ્યે જ ઘરે ગપસપ કરતો જોવા મળ્યો હતો. જો તેને કોઈ વાત ગમતી ન હોય તો તે ખુલ્લેઆમ કહેતો.