મુંબઈના અંધેરીમાં 14 માળની ઈમારતમાં ભીષણ આગ, 3 લોકોના મોત

મુંબઈ: મુંબઈના અંધેરી વેસ્ટમાં આવેલી 10 માળની ઈમારત રિયા મહેલમાં આજે સવારે ભીષણ આગ લાગી હતી. આગમાં દાઝી જવાથી ત્રણ લોકોના મોત થયા છે. સીએમઓએ ત્રણ લોકોના મોતની પુષ્ટિ કરી છે. આ દરમિયાન અન્ય ત્રણ લોકો ઘાયલ થયા હતા. ઘાયલોની ઓળખ ચંદ્રપ્રકાશ સોની (74), કાંતા સોની (74) અને 42 વર્ષીય પેલુબેતા તરીકે થઈ છે.

આગની આ દુર્ઘટનામાં ત્રણ લોકોના મોત થયા અને ત્રણ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને સારવાર માચે કૂપર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો ચાલુ

મળતી માહિતી મુજબ આગની જાણ થતા ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. હાલ આગ પર હજુ સુધી કાબુ મેળવી શકાયો નથી. કેટલાક લોકો ઘાયલ થવાની પણ આશંકા છે. ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી રહ્યા છે.

ઘટનાસ્થળે હાજર ફાયર બ્રિગેડની ગાડીઓ

ફાયર બ્રિગેડના વાહનો, હાઇડ્રેન્ટ્સ, ટર્નટેબલ સીડી અને એમ્બ્યુલન્સ સ્થળ પર હાજર છે. આગ એક રહેણાંક ફ્લેટ સુધી સીમિત છે અને અધિકારીઓ પરિસ્થિતિ પર નજીકથી નજર રાખી રહ્યા છે. હાલ આગ પર કાબૂ મેળવવામાં આવી રહ્યો છે.