રાજ્યના સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, 4 દિવસની રજા

તહેવારીની સિઝન ચાલી રહી છે. દિવાળીને આડે હવે ગણતરીના દિવસો બાકી છે ત્યારે રાજ્ય સરકારના કર્મચારીઓ માટે વધુ એક ખુશીના સમાચાર આવ્યા છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના આદેશ અનુસાર કર્મચારીઓ માટે ચાર દિવસની રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દિવાળી બાદ પડતર દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે. જેને લઈને રાજ્યના સરકારી કર્મચારીઓમાં ખુશીનો માહોલ છે.

મળતી માહિતી મુજબ, રાજ્ય સરકાર દ્વારા આજે બુધવારે જાહેર કરાયેલ પરિપત્ર અનુસાર, કેલેન્ડર વર્ષ 2024 મુજબ તા.31-10-2024 ગુરુવારે દિવાળીની રજા, તા.2-11-2024 શનિવારના રોજ નૂતન વર્ષની રજા તથા તા.3-11-2024 રવિવારના દિવસે ભાઇબીજ નિમિત્તે જાહેર રજા આવે છે. આ વચ્ચે તા.1-11-2024 શુક્રવારના રોજ સરકારી કચેરીઓ ચાલુ રહેવાની હતી પરંતુ હવે તે દિવસે પણ રજા જાહેર કરવામાં આવી છે.