મા તે મા બીજા બધા વગડાનાં વા…

 

મા તે મા બીજા બધા વગડાનાં વા…

 

 

માની મમતાની તોલે બીજું કશું જ આવી શકતું નથી. એટલે જ કોઈ કવિએ કહ્યું છે, “જનનીની જોડ સખી નહીં જડે રે લોલ.” મા ત્યાગ, પ્રેમ, બલિદાન, વાત્સલ્ય અને સમય આવ્યે રણચંડી બની પોતાના બાળકનું જીવથીયે વધારે જતન કરે છે. આવી વ્યક્તિ બીજી કોઈ હોઈ શકે નહીં. મા તે મા જ છે.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)