લોકડાઉનથી પરેશાન ગરીબ કામદારો વતન ભણી…

કોરોના વાઈરસના ફેલાવાને રોકવા દેશભરમાં 45 દિવસથી લોકડાઉન લાગુ છે ત્યારે જુદા જુદા રાજ્યોના શહેરોમાં અટવાઈ ગયેલા લાખો સ્થળાંતરિત કામદારો, મજૂરોને એમના વતન જવા દેવા માટે તાળાબંધી નિયમમાં છૂટછાટ અપાઈ છે. એને પગલે રેલવે સ્ટેશનો અને એસ.ટી. બસ સ્થાનકો પર લોકોની ભીડ જોવા મળે છે. ઉપરની તસવીર ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ રેલવે સ્ટેશનની છે જ્યાં ગુજરાતમાંથી વિશેષ ટ્રેન દ્વારા આવી પહોંચેલા કામદારો બેઠાં છે અને પોતપોતાના ગામે જવા માટે વ્યવસ્થા-પરવાનગીની રાહ જુએ છે.


દિલ્હી-ઉ.પ્ર. સરહદના રસ્તા પર ચાલતા જતા કામદાર પતિ-પત્ની.


જલંધરમાં સ્પેશિયલ ટ્રેનમાં ચડવા આગળ વધતા ઉ.પ્ર.ના કામદારો


બેંગલુરુથી બિહારના દાનાપુર સ્ટેશન ખાતે આવી પહોંચેલા કામદારો


બેંગલુરુથી પટનામાં આવી પહોંચેલા કામદારો બસમાં જવા લાઈનમાં ઊભા છે


NDRFના જવાનો દાનાપુર રેલવે સ્ટેશનની બહાર કામદારોના સામાનને સેનિટાઈઝ કરે છે.


સુરતથી વિશેષ ટ્રેન દ્વારા આવી પહોંચેલા કામદારો પ્રયાગરાજ સ્ટેશન પર


મુંબઈની પડોશના મીરા રોડ ખાતે વતન જવા માટે ટ્રાવેલ દસ્તાવેજો મેળવવા બેઠેલા કામદારો