અમિત શાહે કશ્મીરમાં ‘મા શારદા દેવી’ મંદિરનું ઉદઘાટન કર્યું

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે 22 માર્ચ, બુધવારે નવી દિલ્હીમાં વિડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કશ્મીરના કુપવાડામાં કર્ણાટકસ્થિત શ્રી શારદા પીઠં શ્રૃંગેરી મઠ દ્વારા નવનિર્મિત ‘માતા શારદા દેવી મંદિર’નું ઉદઘાટન કર્યું હતું.

અમિત શાહે એમના ટ્વિટર પેજ પર લખ્યું છેઃ આ મંદિરનું પુનર્નિર્માણ શારદા પીઠની પ્રાચીન તીર્થયાત્રાની પુનઃ શરૂઆતની દિશામાં એક કદમ છે. ભારતીય સંસ્કૃતિ આપણને સહુને સંગઠિત રાખે છે. આપણે ગમે ત્યાં રહે, ગમે તે ભાષા બોલીએ, આપણે સહુ એક જ તાંતણાથી જોડાયેલાં છીએ.

મા શારદા દેવી