બેસો જોઇ… તો… ઉઠાડે ના કોઇ…

બેસો જોઇ… તો… ઉઠાડે ના કોઇ…

કોઇ પણ જગ્યાએ પહેલી કે બીજી હરોળમાં બેસી જવું જોઇએ નહીં. આમ કરશો તો યજમાન પાછળ બેસવા કહેશે એટલે અપમાનિત થશો.

એના કરતાં…

એવી જગ્યાએ બેસો જ્યાંથી કોઇ ઉઠાડે નહીં અને કદાચ ઉઠાડે તો આગ્રહ કરી આગલી હરોળમાં લઇ જાય.

તમારું માન અને શાન બંને જળવાશે.

 

(ડો.જયનારાયણ વ્યાસ) 

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)