![]()
મિયાં ચોરે મુઠે ને અલ્લા વસૂલે ઊંટે |
ઈશ્વરીય ન્યાયનો સિદ્ધાંત આ કહેવત દ્વારા વ્યક્ત થયો છે. માણસ કોઈ પણ વસ્તુ અણહકથી મેળવે ત્યારે એ એક મર્યાદામાં જ આ કામ કરી શકતો હોય છે.
ઉપરવાળો જ્યારે એનાથી રૂઠે અને એની પાસેથી એણે વસૂલ કરવાનું હોય તો પેલાએ મુઠ્ઠી મુઠ્ઠી ચોરીને જે ભેગું કર્યું હોય તે સામે ‘સો સુનારકી ઔર એક લોહારકી’ એ ન્યાયે માણસ ચોરે મુઠ્ઠે અને અલ્લા વસૂલે ઊંટે એ કહેવત વપરાતી હોય છે.
(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)
