ખાલી ચણો વાગે ઘણો

  ખાલી ચણો વાગે ઘણો

 

અધૂરા જ્ઞાનવાળો વધુ બડાશ મારે. અધૂરપવાળી વ્યક્તિ વધારે દેખાવ કરે. પોતાની અલ્પતા અને નાનપ ઢાંકવા ઘણા પ્રયત્નો કરવા પડે.

જેનામાં ઓછી આવડત હોય તે વધુ બતાવવાનો દેખાવ કરે. ખોટો દેખાવ કરવો તે નકામું છે. અથવા ક્યારેક બહારથી સારું દેખાતું માણસ ઘણીવાર અંદરથી ખૂબ ખરાબ હોય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)