ગોળના પાણીએ નવડાવવું

ગોળના પાણીએ નવડાવવું

 

કોઈ પણ પ્રકારની ખોટી અપેક્ષા ઊભી કરીને એના બદલામાં સામા વ્યક્તિ પાસેથી માલ અથવા પૈસા લીધા બાદ એ ઓળવી જવું એટલે કે હજમ કરી જવું એવી વૃત્તિથી દોરાનાર વ્યક્તિએ કોઈને ગોળના પાણીએ નવરાવ્યો એમ કહેવાય.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)