ભૂખ્યા પેટે ભજન ન થાય

    ભૂખ્યા પેટે ભજન ન થાય

રોટી, કપડાં અને મકાન એ માણસની પાયાની જરૂરિયાત છે. મનોવિજ્ઞાન વિષયમાં Needs એટલે કે જરૂરિયાતોની અગ્રિમતાનો ત્રિકોણ જેને માસ્લોનો ત્રિકોણ કહે છે તેમાં માણસની જરૂરિયાતોને પાંચ ભાગમાં વહેંચવામાં આવી છે. સૌથી નીચે પાયાના સાથે જોડાયેલી જરૂરિયાતોને Basic Needs એટલે કે મૂળભૂત જરૂરિયાતો કહે છે.

આટલી જરૂરિયાતો સંતોષાય તો જ માણસ આગળની જરૂરિયાતો એટલે કે સલામતી, સામાજિક, કોઈ પણ ક્ષેત્રે કૌશલ્ય થકી Excellence એટલે કે ઉત્તમ ક્ષમતા પ્રાપ્ત કરવી અને છેલ્લે Self Actualization એટલે કે પરમ જ્ઞાન અથવા મોક્ષની સ્થિતિ આવે.

ઊંઘ, ભૂખ, થાક વિગેરે Basic Needs એટલે કે પાયાની જરૂરિયાતો છે. માણસ ભૂખ્યો હોય ત્યાં સુધી એનાં વ્યક્તિત્વ વિકાસનાં આગળનાં પાસાં અને તેમાંય ભજન/ભક્તિ થકી ઈશ્વરની આરાધના અને અંતે મોક્ષની પ્રાપ્તિ તરફ પ્રયાણ આવે છે. પણ આ બધું પેટ ભરેલું હોય ત્યાર પછીના તબક્કે જ સાધી શકાય છે. આ સંદર્ભમાં ‘ભૂખ્યા પેટે ભજન ન થાય’ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)