ભર્યા તળાવમાંથી કોરો નીકળે

 

ભર્યા તળાવમાંથી કોરો નીકળે

માણસ તળાવમાં પડે તો સ્વાભાવિક છે એનું શરીર ભીનું થાય અને કપડાં પહેર્યાં હોય તો પાણીથી લથબથ થઈ જાય. તળાવમાં પડેલો કોઈ પણ માણસ ભીંજાયા વગર રહી શકે જ નહીં. આવું જ લાગણીઓનું છે.

માણસ વિવિધ પ્રકારની લાગણીઓનું પોટલું છે. તે ક્યારેય પણ લાગણીશૂન્ય બનીને જીવી શકતો નથી. તે જ રીતે અપરાધનું વાતાવરણ હોય તો કોઈ માણસ એનાથી અલિપ્ત રહી શકતો નથી. અને કદાચ એ અલિપ્ત રહે તો પણ કોઈના માનવામાં આવતું નથી.

આ સંદર્ભમાં કાં તો લાગણીશૂન્ય વ્યક્તિ માટે અથવા અપરાધી માણસ ધરાવતી વ્યક્તિ જે સિફતથી છટકી જઇ શકે તેના માટે આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)