ડોશી મર્યાની બીક નથી, જમડા ઘર ભાળે તેની બીક છે

 

ડોશી મર્યાની બીક નથી, જમડા ઘર ભાળે તેની બીક છે

 

 

ડોશી એટલે ખૂબ ઉંમરે પહોંચેલ વૃદ્ધા. બહુ ઝાઝું જીવન બાકી ન હોય. ખર્યુ પાન કહેવાય. યમરાજનું તેડું આવે તો પણ ઝાઝી ચિંતા નહીં.

એટલે એવી પરિસ્થિતી કે જેમાં થનાર ઘટનાને કારણે બહુ મોટું નુકસાન થવાની શક્યતા નથી. પણ એ ડોશીને લેવા આવનાર યમદૂતો ઘર જોઈ જાય તેની દહેશત છે.

એકવાર નાની નુકસાની વેઠી પણ લો પણ ત્યાર પછી એક પ્રથા કે ઘરેડ ઊભી થઈ જાય તે નુકસાનકારક બને છે તે સંદર્ભમાં આ કહેવત વપરાય છે.

(ડો. જયનારાયણ વ્યાસ ગુજરાતના જાહેરજીવનનું એક ટોચનું નામ છે. ગુજરાત સરકારમાં કેબિનેટ મંત્રી તરીકે અનેક મહત્વની જવાબદારી સંભાળી ચૂકેલા જયનારાયણભાઇ નિષ્ણાત અર્થશાસ્ત્રી, ટેકનોક્રેટ અને કુશળ વક્તા હોવાની સાથે લોકપ્રિય લેખક પણ છે. ટેલિવિઝન એન્કર તરીકે પણ અર્થપૂર્ણ ચર્ચા યોજે છે. અહીં એ બાળપણમાં મા ના મુખેથી સાંભળેલી જાણીતી કહેવતોનો આસ્વાદ કરાવે છે.)