લૉકડાઉનમાં ઘરે જ બનાવો તણાવને દૂર કરતું પીણું!

લૉકડાઉનમાં ઘેરબેઠાં એકધારું કામ કરીને તમે તાણ અને થાકનો અનુભવ કરી રહ્યા હો, તો અહીં તમને બતાવીએ છીએ એવા પીણાંની રીત જે તમારા શારીરિક તેમ જ માનસિક સ્વાસ્થ્ય માટે લાભપ્રદ છે. કોરોના વાયરસનું સંક્રમણ આખા વિશ્વમાં ફેલાઇને ભારતમાં પણ પગપેસારો કરી ગયું છે. તેથી આપણા દેશમાં 21 દિવસનો લૉકડાઉન ઘોષિત કરવામાં આવ્યો છે. આ દિવસોમાં ઘણા લોકોને વર્ક ફ્રોમ હોમ એટલે કે ઘરે રહીને કામ કરવાનું સૂચન કરવામાં આવ્યું છે.

 

સંચારબંધી ને કારણે બહાર બહાર જવાનું નથી. તો ઘેર બેઠા કામ કરીને પણ લોકો કંટાળી તો જાય જ છે. સાથે માનસિક તાણ પણ રહે છે. ઘણા લોકો નોકરી અર્થે પોતાના પરિવારથી દૂર બીજા શહેરમાં એકલા રહેતા હોય છે. આવી વ્યક્તિ વધારે તાણ અનુભવે છે.

એક એવું પીણું છે જે તમારી તાણ ઓછી કરી શકે છે, હેલ્ધી પણ છે અને આ લૉકડાઉનના સમયમાં તે માટેની સામગ્રી સહેલાઈથી મેળવી શકાય એમ છે. નેશનલ સેન્ટર ફોર બાયોટેકનોલોજી ઇન્ફોર્મેશન (NCBI)ના રીસર્ચ પ્રમાણે મધ એક એવો ઔષધીય ગુણ ધરાવે છે, જેના સેવનથી અનેક પ્રકારની માનસિક સમસ્યાઓમાં રાહત મળે છે.

 મધમાં મગજની કાર્યપ્રણાલીને સક્રિય રૂપે કાર્ય કરવાનો ગુણ છે સાથે તાણ પણ દૂર કરે છે. મધને હુંફાળા દૂધમાં મેળવીને પીવાથી એનો વિશેષ લાભ મળે છે.

સામગ્રી:
1 ગ્લાસ દૂધ
1 ટે.સ્પૂન મધ

રીત:
દૂધને સરખું ગરમ કરી લો. દૂધને ગ્લાસમાં રેડી લો. દૂધ હૂંફાળું થયા બાદ તેમાં એક ટેબલસ્પૂન મધ મિક્સ કરી લો. હવે આ પીણાંનું સેવન તમે કરી શકો છો.