ગીરમાં પાછા આવ્યા “ગ્રે હોર્નબીલ”

આમતો “ચિલોતરો” ઈન્ડિયન “ગ્રે હોર્નબીલ” એ ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને કયારેક અમદાવાદમાં પણ જોવા મળે છે. દેશના પણ ઘણા ભાગોમાં અને જંગલોમાં જોવા મળે પણ ગીરમાં છેલ્લા લગભગ 90 વર્ષ પહેલા ગીર અને આસપાસના વિસ્તારમાં “ચિલોતરો” ગ્રે હોર્નબીલ જોવા મળતુ હતું. જે બાદ તે ગીર કે આસપાસના વિસ્તારમાં જોવા મળતું નહતું. ગુજરાત વન વિભાગ દ્વારા ગત ઓક્ટોબર 2021 થી ફેબ્રુઆરી 2022માં 20 જેટલા પક્ષીઓને ફરી થી ગીરમાં વિહરવા છુટા મુકવામાં આવ્યા છે.

ગીરમાં સિંહ છે પણ તેની સાથે બહુ મોટી સંખ્યામાં પક્ષીઓ પણ છે જ. એમાં હવે “ચિલોતરો” ઈન્ડિયન ગ્રે હોર્નબીલનો ઉમેરો થયો છે. આશા રાખીએ કે ગીરમાં ઈન્ડિયન ગ્રે હોર્નબીલની સંખ્યા એ સારી એવી વધે અને કાયમી રીતે તેઓ ગીરમાં સ્થાઈ થઈને રહે.