Home Blog Page 2742

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

અખિલ બ્રહ્માંડની અજાયબ વાતો

૩૦ જૂન, ૨૦૨૩

૩૦ જૂન, ૨૦૨૩

Chitralekha Gujarati – July 10, 2023

Please click on above magazine cover to read magazine online. Due to piracy of “Chitralekha” magazine pdf by some of the subscribers we are not providing pdf download option from here on till we get possible solution. PLEASE COOPERATE WITH US.

રાશિ ભવિષ્ય 30/06/2023

રાશિ ભવિષ્ય- હેમિલ લાઠિયા 

આજનો દિવસ સામાન્ય છે, કોઈપણ કામમાં ધાર્યા કરતા વધુ વ્યસતા રહે તેને કારણે થોડી અસ્વસ્થા જેવું લાગ્યા કરે, સહકર્મચારી સાથે થોડો ઓછો સહયોગ પ્રાપ્ત થાય તેવી લાગણી અનુભવાય, કોઈ કામકાજ માટે ટીકા કરે અને તમે ઉશ્કેરટની સ્થિતિમાં આવી શકે પણ સયમ જરૂરી છે વેપારમાં નાનુંકામ હિતાવહ છે.


આજનો દિવસ સામાન્ય છે, તમને મિત્રોનો સહકાર મળી શકે છે, માર્કેટિંગક્ષેત્ર આયોજનથી કામકરવાથી કામ કર્યાનો સંતોષ મળે, નાનાકે મોટાપ્રવાસનું આયોજન થઈ શકે છે, મનની કોઈ ઈચ્છા હોયતે પૂરી થાય તેવું પણ બનવા જોગ છે, વેપારમાં નાનું કામ કરવુંજ યોગ્ય છે, ધીરજ રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ થોડો પ્રતિકુળતાવાળો કહી શકાય, તમારી લાગણીની કદરના થતી હોય તેવું વધુ લાગે, મન પરાણે મોટું રાખવું પડતું હોય તેવી લાગણીઓ રહે, વાર્તાલાપ દરમિયાન ક્યાય ખોટા શબ્દપ્રયોગના થાય તેનું ધ્યાન રાખવું જરૂરી છે. વેપારમાં કોઈપણ પ્રકારના નાનામોટા જોખમથી દુર રહેવું સલાહ ભર્યું છે.


આજનો દિવસ સારો છે તમારામાં આત્માવિશ્વાસ સારો જોવા મળે, કોઈ પ્રસંગમાં તમારી હાજરી તમારી શોભા વધારી શકે છે, માર્કેટિંગક્ષેત્રમાં જૂનીયાદી મુજબ કામકાજ કરવામાં આવેતો સારી સફળતા મળે તેવા સંજોગો બની શકે છે, વેપારમાં અનુભવથી કામ કરોતો લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાધારણ રીતે પસાર થાય છે, તમારી વાણી અને શબ્દપ્રયોગથી લોકો પ્રભાવિત થઇ શકે છે પરંતુ કટાક્ષ ભાષાન બોલવી. ઘણા વખતથી કોઈ વસ્તુ ખરીદવાની ઈચ્છા હોય કે ક્યાય પોતાની વાત રજુ કરવાની હોયતો તે તક પણ ઝડપી શક્ય તેવા સંજોગો બની શકે છે. વેપારમાં નાનું કામ જ યોગ્ય છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો, સ્વભાવમાં થોડું ચિડીયાપણું જોવા મળી શકે છે, ઈર્ષાળુલોકો થી દુર રહેવું. આજે વિચારો વધુ આવે તેના કારણે માનસિકથાક વધુ લાગે, કામટાળવાની વૃતિ જોવા મળે કોઈની સાથે વિવાદમાં ન ઉતરવું, માર્કેટિંગમાં મહેનત વધુ પડે, વેપારના કામકાજમાં જોખમ ન કરવું.


આજનો દિવસ સામાન્ય છે, કામમાં સમયની વ્યસ્તા અને માનસિકઅશાંતિ રહે, રોજબરોજનું કામ કરનારને થોડી સાવચેતી રાખવી, ધીરજનો અભાવ જોવા મળે, વેપારમાં નાનું કામ કરવું જ યોગ્ય છે, પ્રિયજન સાથે વાર્તાલાપકે કામકાજ દરમિયાન ક્યાય ઉગ્રતાના થાય તેની તકેદારી રાખવી સારી કહી શકાય.


આજનો દિવસ સારો છે, તમારા પસંદગીના કાર્ય કરવાની તક મળે કે કોઈ ગમતી વાત સંભાળવા મળી જાય.કોઈ સામાજિકકે ધામિક કામકાજમાં તમે તમારું યોગદાન આપી શકો. નોકરીકે વ્યવસાયમાં જરૂરી માર્ગદર્શન માટેકે ભલામણ માટે જવાનું હોયતો તેમાં પણ પ્રતિસાદ સારો મળી શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરી લેવો , કામકાજમાં થાકની લાગણી વધુ જોવા મળે, સહકર્મચારી સાથે કામકાજમાં સુમેળ થોડો ઓછો જોવા મળી શકે. કામકાજમાં થોડો વિલંબ જોવા મળે પરંતુ છેવટે કામકાજ પૂર્ણ થયાનો સંતોષ પણ મળે. વેપારના કામકાજમાં કોઇપણ પ્રકારનું જોખમન કરવું.


આજનો દિવસ સારો છે, પરિચિતો સાથે વાર્તાલાપ દરમિયાન તમારી કોઈ સારીવાત પણ જાણવા મળી જાય તેવા સંજોગો બની શકે છે. જાહેરપ્રસંગોમાં તમારો પ્રભાવ અલગજ દેખાઈ આવે અને તમને આનંદની લાગણીનો સારો અનુભવ કરી શકો. વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.


આજનો દિવસ સાવચેતીથી પસાર કરવો, તમારી ક્યાય ખટપટ થાય પણ તેમાં તમને કોઈ મોટી તકલીફન થઇ શકે.પગ,સાંધા,સ્નાયુ,ગેસ,જેવી આરોગ્યબાબતથી તકેદારી રાખવી. માર્કેટિંગક્ષેત્રમાં થોડી નિરાશા જોવા મળી શકે. વેપારમાં જોખમન કરવું, પ્રિયજનની લાગણી દુભાઈના જાય તેનું ધ્યાન રાખવું.


આજનો દિવસ સારો છે, ફરવા અને ખરીદી કરવાના યોગ બને છે. વડીલવર્ગને ભૂતકાળમાં કોઈ સામાજીક કે ધાર્મિકકાર્યમાં યોગદાન આપેલ હોય તેની કદર થાય તેવું બનવા જોગ છે. નોકરીકે વ્યવસાયમાં ફેરબદલી ઇચ્છનારને યોગ્ય માર્ગદર્શન મળે રહે, વેપારના કામકાજમાં લાભ થઈ શકે છે.

પંચાંગ 30/06/2023

PM મોદીએ 3 જુલાઈએ બોલાવી મંત્રી પરિષદની બેઠક

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 3 જુલાઈએ કેન્દ્રીય મંત્રી પરિષદની બેઠક બોલાવી છે. સમાચાર એજન્સી પીટીઆઈએ અધિકારીઓને ટાંકીને કહ્યું કે આ બેઠક દિલ્હીના પ્રગતિ મેદાનના કન્વેન્શન સેન્ટરમાં યોજાશે, જ્યાં સપ્ટેમ્બરમાં જી-20 સમિટ પણ યોજાવાની છે.

આ બેઠક એવા સમયે થઈ રહી છે જ્યારે પીએમ મોદીએ બુધવારે (28 જૂન) કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા સાથે મુલાકાત કરી હતી. માનવામાં આવે છે કે સરકાર અને ભાજપ સંગઠનમાં ફેરફારને લઈને ચર્ચા થઈ હતી. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે પીએમ મોદીએ 3 જુલાઈએ બોલાવેલી બેઠક બાદ મંત્રી પરિષદમાં ઘણા ફેરફાર થઈ શકે છે.

ભાજપની બેઠક શા માટે યોજાઈ?

શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષ બુધવારે પીએમ નરેન્દ્ર મોદીના નિવાસસ્થાને આયોજિત બેઠકમાં સામેલ થયા હતા. માનવામાં આવે છે કે આ વર્ષના અંતમાં યોજાનારી મધ્યપ્રદેશ, રાજસ્થાન છત્તીસગઢ, તેલંગાણા અને મિઝોરમ વિધાનસભાની ચૂંટણીને લઈને ચર્ચા થઈ છે. આ સિવાય 2024માં યોજાનારી લોકસભાની ચૂંટણીને લઈને પણ વાત થઈ છે. જો કે ભાજપે પીએમ મોદી સાથેની મુલાકાતને લઈને કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી, પરંતુ પાર્ટીએ ચૂંટણીની તૈયારીઓ તેજ કરી દીધી છે.

છેલ્લા કેટલાક દિવસોમાં, અમિત શાહ, નડ્ડા અને ભાજપ મહાસચિવ (સંગઠન) બીએલ સંતોષે સંગઠનાત્મક અને રાજકીય મુદ્દાઓ પર ચર્ચાના ઘણા રાઉન્ડ કર્યા છે. અગાઉ 6ઠ્ઠી જૂને બેઠક મળી હતી. જણાવી દઈએ કે સંસદના ચોમાસુ સત્રના થોડા દિવસો પહેલા મંત્રી પરિષદની બેઠક યોજાઈ રહી છે. જુલાઈના ત્રીજા સપ્તાહથી ચોમાસુ સત્ર શરૂ થવાની સંભાવના છે.

સલમાન ખાને પરિવાર સાથે ઉજવી ઈદ

આજે દેશભરમાં બકરી ઈદનો તહેવાર ધામધૂમથી મનાવવામાં આવી રહ્યો છે. આ દરમિયાન બોલિવૂડના ભાઈજાન એટલે કે સલમાન ખાને પણ પોતાના ચાહકોને ઈદની શુભેચ્છા પાઠવી છે. ઈદના અવસર પર સલમાન ખાને પોતાના ફેન્સ સાથે ખૂબ જ ક્યૂટ ફેમિલી ફોટો શેર કર્યો છે. જેના પર ચાહકો ખુલ્લેઆમ પ્રેમ વરસાવી રહ્યા છે.

 

 

View this post on Instagram

 

A post shared by Salman Khan (@beingsalmankhan)

સલમાન ખાને ઈદ પર ફેમિલી ફોટો શેર કર્યો છે

સલમાન ખાને આ પરિવારની તસવીર પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે. જેમાં તે તેની બે બહેનો, ભાઈ, માતા અને પિતા સલીમ ખાન સાથે કેમેરા માટે પોઝ આપી રહ્યો છે. તસવીરમાં સલમાનના માતા-પિતા, સોહેલ અને બહેન સોફા પર બેઠા છે. જ્યારે સલમાન, અરબાઝ અને અર્પિતા સોફાની પાછળ ઉભા છે. ફોટોમાં, સલમાન તેની માતાને ગળે લગાડતી વખતે કેઝ્યુઅલ લુકમાં ખૂબ જ સ્માર્ટ દેખાઈ રહ્યો છે.

 

આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ચાર દિવસ ભારે વરસાદની આગાહી કરવામા આવી છે, જેમાં આગામી બે દિવસ એટલે કે 48 કલાક અત્યંત ભારે વરસાદ ત્રાટકે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.

આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી

ચોમાસાની શરુઆત થતા મેઘરાજાએ સમગ્ર રાજ્યને ઘમરોળ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 4 દિવસ ભારે વરસાદની આગાહી પણ કરવામા આવી છે. ત્યારે આજે ફરી એક વાર હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગે આગામી 48 કલાક ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. તેમજ હવામાન વિભાગે ડાંગ, તાપી, નવસારી, વલસાડ, દમણ, દાદરનગર હવેલીમાં રેડ એલર્ટ આપ્યું છે.આ વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે તેવી શક્યતા વ્યક્ત કરવામા આવી છે.

આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં

મહત્વનું છે કે હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરવામા આવી છે. હવામાન વિભાગની આગાહીના પગલે લોકો અને તંત્ર પણ એલર્ટ મૉડમાં આવી ગયું છે. આગાહીને લઈને એનડીઆરએફ સહિતની દળની ટીમોને પણ તૈનાત કરી દેવામાં આવી છે.

આ વિસ્તારોમાં પણ વરસાદની આગાહી

હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે.હવામાન વિભાગે સુરત અને ગીર સોમનાથમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે્. જ્યારે પંચમહાલ, ગાંધીનગર, અમદાવાદ, અરવલ્લી, આણંદ, વડોદરા, ભરુચ, બનાસકાંઠા, સાબરરાંઠા, કચ્છ, સુરેંદ્રનગર અને ભાવનગરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. અમદાવાદમાં આગામી બે દિવસ માટે ભારે વરસાદનું વાતાવરણ સર્જાય તેવું હવામાન વિભાગ દ્વારા જણાવવામા આવ્યું છે.

ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર

ગુજરાતમાં સરકારી નોકરીની ઇચ્છા ધરાવતા યુવાનો માટે ખુશ ખબર છે. જેમાં વર્ગ- 3માં ડ્રાઇવર અને વર્ગ-4 સિવાયની હંગામી જગ્યા કાયમી થશે. ત્રણ વર્ષથી અસ્તિત્વ ધરાવતી જગ્યા માટે નિર્ણય કરવામાં આવ્યો છે. દર વર્ષે નાણાવિભાગની મંજૂરીઓની ઝંઝટમાંથી મુક્તિ આપતો ઠરાવ પ્રસિદ્ધ કર્યો છે. તથા વર્ગ-4ની તમામ જગ્યાઓને બાકાત રાખવામાં આવી છે.

નિયમિત પગારની હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરીત કરાશે

ગુજરાત સરકારના વિભાગો અને ખાતા વડાની કચેરીઓમાં વિવિધ સંવર્ગમાં મંજૂર નિયમિત પગારની હંગામી જગ્યાને કાયમી જગ્યામાં રૂપાંતરીત કરવા નાણા વિભાગે મહત્વનો નિર્ણય કર્યો છે. મંગળવારે નાયબ સચિવ નિસર્ગ જોષીની સહી પ્રસિધ્ધ ઠરાવથી વર્ગ- 3માં ડાયવર અને વર્ગ- 4 સિવાયની તમામ હંગામી જગ્યાઓ કાયમી કરવાની માર્ગદર્શિકા જાહેર થઈ છે.

કેડર સ્ટ્રેંથની મર્યાદામાં કાયમી જગ્યા તરીકે રૂપાંતરિત કરી શકાશે

હાલમાં હંગામી જગ્યાને પ્રત્યેક વર્ષે અથવા તો સમયમર્યાદા પછી ચાલુ રાખવા માટે વિભાગોને નાણા વિભાગની મંજૂરી લેવી પડે છે. દરવર્ષે થતી આ પ્રક્રિયાને એક જ ઝાટકે દૂર કરવા થયેલા ઉક્ત ઠરાવમાં કહેવાયુ છે કે, જો હંગામી જગ્યા ત્રણ કે તેથી વર્ષથી અસ્તિત્વમાં હશે તો નાણા સલાહકારના પરામર્શમાં તેને જે તે સંવર્ગના કુલ મંજૂર થયેલા કેડર સ્ટ્રેંથની મર્યાદામાં કાયમી જગ્યા તરીકે રૂપાંતરિત કરી શકાશે.

Jobs Hailer ingJob Ads Recruitment And Vacancies

કોઈ સંવર્ગની કેડર સ્ટ્રેંથ 25 હોય અને તે પૈકી 15 જગ્યા કાયમી અને 10 હંગામી

ઉદાહરણ તરીકે કોઈ સંવર્ગની કેડર સ્ટ્રેંથ 25 હોય અને તે પૈકી 15 જગ્યા કાયમી અને 10 હંગામી છે. 10 હંગામી પૈકી પાંચ ભરાયેલી છે તો એ પાંચેય જગ્યાને કાયમી કરી શકાશે. સરકારના આ નિર્ણયથી હંગામી જગ્યાઓ માટે નિયમિત ભરતી થતા આવનારા સમયમાં સરકારી નોકરીઓની તકોમાં વધારો થશે. અલબત્ત આ નિર્ણયથી વર્ગ-4ની તમામ જગ્યાઓને બાકાત રાખવામાં આવી છે. જ્યાં સૌથી વધુ હંગામી જગ્યા છે.

ત્રિપુરામાં ‘વળતી રથયાત્રા’ની દુર્ઘટનાની મેજિસ્ટ્રેટ તપાસ કરશે

અગરતાલાઃ ત્રિપુરા રાજ્યના ઉનાકોટી જિલ્લામાં ગઈ કાલે કુમારઘાટ ગામમાં ગઈ કાલે ‘ઉલટા રથયાત્રા’ (વળતી રથયાત્રા) અથવા ભગવાન જગન્નાથના રથને પરત લઈ જવાના ઉત્સવ વખતે વીજળીના જીવંત તારના સંપર્કમાં આવતાં બે બાળક સહિત સાત જણના મરણ થયા હતા અને બીજાં 16 જણ ઘાયલ થયા હતા.

તે દુર્ઘટના સાંજે 4.30 વાગ્યાના સુમારે બની હતી. વળતી રથયાત્રા ઉત્સવનું આયોજન ઈસ્કોન સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું. તેમાં રથયાત્રા પર્વના એક અઠવાડિયા બાદ ભગવાન જગન્નાથ, ભગવાન બલભદ્ર અને દેવી સુભદ્રાનાં રથને એમનાં મૂળ સ્થાને લઈ જવામાં આવે છે.

લોખંડના બનાવેલા અને ફૂલોથી સુશોભિત રથને ખેંચવા માટે હજારો લોકો સામેલ થતાં હોય છે. પરંતુ કમનસીબે માર્ગમાં એક સ્થળે પડેલા 133 કિલોવોટના એક ઓવરહેડ જીવંત કેબલના સંપર્કમાં કેટલાંક લોકો આવી ગયા હતા. છ જણનું ઘટનાસ્થળે જ મૃત્યુ થયું હતું જ્યારે એક જણે હોસ્પિટલમાં લઈ જતી વખતે રસ્તામાં દમ છોડ્યો હતો. મૃતકોમાં બે બાળક અને ત્રણ મહિલાનો સમાવેશ થાય છે. ત્રિપુરાના મુખ્ય પ્રધાન માનિક સહાએ આ દુર્ઘટનામાં મેજિસ્ટ્રેટ સ્તરે તપાસ કરાવવાનો આદેશ આપ્યો છે.