થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચે યુદ્ધવિરામ, મલેશિયાનો દાવો

એશિયા ખંડ પર છેલ્લા ચાર દિવસથી બંને દેશો વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું. જે હવે શાંત થવાની શક્યતા છે. મલેશિયાના વિદેશ પ્રધાન મોહમ્મદ હસને દાવો કર્યો છે કે થાઈલેન્ડ અને કંબોડિયાએ તેમના સરહદી સંઘર્ષને ઉકેલવા માટે મલેશિયાને મધ્યસ્થી તરીકે સ્વીકાર્યું છે. જોકે, આ દરમિયાન બંને દેશોએ ફરીથી એકબીજા પર તોપોથી હુમલો કરવાનો આરોપ લગાવ્યો છે.

સમાચાર એજન્સી બર્નામાના જણાવ્યા અનુસાર, મલેશિયાના વિદેશ પ્રધાન હસને બર્નામાને જણાવ્યું છે કે કંબોડિયાના વડા પ્રધાન હુન માનેત અને થાઈલેન્ડના કાર્યકારી વડા પ્રધાન ફુમથમ વેચાયચાઈ સોમવારે મલેશિયા પહોંચશે અને વાતચીત કરશે.

વિદેશ પ્રધાન હસને કહ્યું, ‘બંને દેશોએ મલેશિયામાં સંપૂર્ણ વિશ્વાસ વ્યક્ત કર્યો છે અને મને મધ્યસ્થીની ભૂમિકા ભજવવા કહ્યું છે. મેં થાઈલેન્ડ અને કંબોડિયાના વિદેશ પ્રધાનો સાથે વાત કરી છે અને તેમણે શાંતિ વિશે પણ વાત કરી છે અને કહ્યું છે કે આ મામલે અન્ય કોઈ દેશ સામેલ ન થવો જોઈએ.’

તમને જણાવી દઈએ કે શુક્રવારે, લાઓસના વડા પ્રધાન અનવર ઇબ્રાહિમ, જે ASEAN ફોરમના અધ્યક્ષ છે, તેમણે કંબોડિયા અને થાઈલેન્ડ વચ્ચે યુદ્ધવિરામનો પ્રસ્તાવ મૂક્યો હતો. શનિવારે, વિશ્વના સૌથી શક્તિશાળી દેશ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પણ થાઇલેન્ડ અને કંબોડિયાના વડા પ્રધાનો સાથે વાત કરી અને તેમને યુદ્ધવિરામનો આગ્રહ કર્યો.