IPL 2025ને લોકોમાં ઉત્સાહ વધી રહ્યો છે. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની ટીમમાં મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. ટીમમાટે નવા કેપ્ટનની જાહેરાત કરવામાં આવી છે. આરસીબીની કમાન વિરાટ કોહલીને નહીં પણ યુવા ખેલાડી રજત પાટીદારને સોંપવામાં આવી છે. RCB ના કેપ્ટન પદ માટે વિરાટ કોહલીને પ્રબળ દાવેદાર માનવામાં આવતા હતા. વિરાટ કોહલી 2013 થી લઈ 2021 સુધી RCBના કેપ્ટન પદે રહી ચૂક્યા છે.
2022થી 2024 સુધઈ ફાફ ડુ પ્લેસિસે RCBની કમાન સંભાળી. પરંતુ RCB એ ગયા વર્ષે મેગા ઓક્શન પહેલા ડુ પ્લેસિસને રિલીઝ કરી દીધો હતો. ડુપ્લેસિસ 2022 થી 2024 સુધી આરસીબીનો કેપ્ટન રહી ચૂક્યો છે. હવે આ વખતે આઈપીએલમાં 40 વર્ષીય ડુ પ્લેસિસ દિલ્હી કેપિટલ્સ તરફથી રમશે. ઉલ્લેખનીય છે કે વર્ષ 2023માં પણ વિરાટ કોહલી ઘણી મેચમાં કેપ્ટન્સી નિભાવી હતી. જોકે રજત પાટીદાર 2021થી આરસીબીમાં જોડાયેલા છે. નવેમ્બરમાં મેગા ઓકસન પહેલા તેણે પણ આરબીસી દ્વારા રિટેન કરાયો હતો. પાટીદાર સૈયદ મુશ્તાક અલી ટ્રોફી અને વિજય હઝારે ટ્રોફીની 2024-25 સિઝનમાં મધ્યપ્રદેશ તરફથી કેપ્ટન્સી કરી ચૂક્યો છે.
રજત પાટીદારે સૈયદ મુશ્તાક અલી ટ્રોફી 2024માં મધ્યપ્રદેશની ટીમની કેપ્ટનશીપ કરી છે. તેમની કપ્તાનીમાં એમપીની ટીમે ટુર્નામેન્ટની ફાઇનલમાં પોતાનું સ્થાન બનાવી લીધું છે. તેઓ 13 વર્ષની લાંબી રાહ બાદ ફાઈનલ માટે ક્વોલિફાય થયા હતા. આ સિવાય કેપ્ટન તરીકે રજત પાટીદાર સમગ્ર ટૂર્નામેન્ટ દરમિયાન મેદાન પર ખૂબ જ સક્રિય જોવા મળ્યો હતો. પાટીદારે પોતાની આગવી ઓળખ બનાવી છે. આવી સ્થિતિમાં પાટીદાર આરસીબીની કપ્તાની સંભાળવા માટે સૌથી મજબૂત દાવેદારોમાંનો એક બની ગયો છે.