દેશભક્તિ મુદ્દે સલમાન ખુરશીદે કોંગ્રેસને લીધી આડે હાથ

નવી દિલ્હીઃ કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે સોમવારે રાજકીય નિષ્ઠાઓને લઈને “ઘરના લોકો”- કોંગ્રેસીઓને કડક સંદેશ આપ્યો હતો, જોકે જમ્મુ-કશ્મીરમાં આટિકલ 370 પર તેમની તાજેતરના ટિપ્પણીથી તેમની પાર્ટીમાં અસ્વસ્થતા વધી હતી છે. ખુરશીદે ભારતના રાજકીય વિભાજન પર ચિંતા વ્યક્ત કરી છે.

ખુરશીદ આતંકવાદ સામે ભારતની એકતાને દ્રઢપણે રજૂ કરવા માટે એક સર્વપક્ષી પ્રતિનિધિમંડળ સાથે વિદેશ પ્રવાસે છે. વરિષ્ઠ રાજકારણી અને પૂર્વ વિદેશ મંત્રી ખુરશીદ હાલ JDUના સાંસદ સંજય કુમાર ઝા દ્વારા નેતૃત્વ પામતા સર્વપક્ષી સંસદીય જૂથના હિસ્સા તરીકે પૂર્વ એશિયામાં છે.

ખુરશીદે X પર લખ્યું હતું કે જ્યારે આપણે આતંકવાદ સામેના મિશનમાં છીએ, અને ભારતનો સંદેશ દુનિયા સુધી પહોંચાડી રહ્યા છીએ ત્યારે દુઃખ થાય છે કે ઘરમાં જ લોકો રાજકીય નિષ્ઠાઓની  ગણતરી કરી રહ્યા છે. શું દેશભક્ત બનવું એટલું મુશ્કેલ છે?

કોંગ્રેસના નેતા સલમાન ખુરશીદે તેમના ટ્વીટમાં કહ્યું, “લોકો પૂછે છે, ‘તમે એ પ્રતિનિધિમંડળમાં શું કરી રહ્યા છો જેમાં ભાજપના લોકો છે? તમે ત્યાં શું કરો છો?’ આપણે ત્યાં શું કરીએ છીએ? આપણે ત્યાં એ જ કરીએ છીએ જે દેશ માટે જરૂરી છે. તમે કોઈ પણ પાર્ટીમાંથી હો, આજની જરૂરિયાત એ છે કે દેશના પક્ષમાં એક અવાજ ઊઠે – અમે  અહીં એ જ કરીએ છીએ. મને લાગે છે કે જ્યારે હું કહું છું કે ‘શું દેશભક્ત બનવું એટલું મુશ્કેલ છે?’ – તો એ પ્રશ્ન તેમને પૂછવો જોઈએ જે ટ્વીટ કરીને આવા પ્રશ્નો ઊભા કરે છે, જેનાથી લાગે છે કે તેમને દેશ માટે કંઈક કરવાનો ઉત્સાહ નથી..